હરિદ્વાર,તા.8
માયાદેવી મંદિરના મહંત સુરેશાનંદ સરસ્વતીએ ગઈકાલે મંગળવારે પૂજા-અર્ચના બાદ ચારધામ યાત્રા માટે 135 યાત્રીઓનું પહેલુ જૂથ રવાના કર્યું હતું. 10 મે ના રોજ બધા યાત્રીઓ યમુનોત્રી મંદિરના દર્શન કરશે. આ જૂથ 17 મે એ ચારધામ યાત્રાથી પરત ફરશે.
ચારધામ યાત્રાનું પ્રથમ જૂથ મસૂરી થઈને બડકોટમાં રોકાશે. ત્યાંથી ચાલીને યાત્રી યમુનોત્રીના દર્શન કરશે. યમુનોત્રી બાદ ગંગોત્રી, કેદારનાથ મંદિર અને બદરીનાથ ધામના દર્શન કરશે. જૂથમાં ગુજરાત અને મહારાષ્ટ્રના યાત્રી 10 ટેમ્પો ટ્રાવેલ અને એક કારમાં રવાના થયા હતા.
દરમિયાન પ્રભુજી ટ્રાવેલ્સના સ્વામી અનુજ સિંઘાલે જણાવ્યું હતું કે ચારધામ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. દરરોજ 6 હજાર રૂપિયાના ભાડા પર 10 ટેમ્પો ટ્રાવેલ યાત્રીઓને લઈને ચારધામથી 10 દિવસની યાત્રા પર રવાના થયા છે.
યાત્રા માર્ગ પર તપાસવામાં આવશે રજીસ્ટ્રેશન: ચારધામ યાત્રામાં તીર્થ દર્શન માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે તેના માટે ગંગોત્રીમાં હીન, યમુનોત્રીમાં બડકોટ, કેદારનાથમાં સોનપ્રયાગ અને બદરીનાથ ધામ માર્ગ પર માંડુકેશ્વરમાં રજીસ્ટ્રેશનનું ચેકીંગ થશે. ચેકીંગ બાદ જ યાત્રીઓને ધામા સુધી આગળ જવા દેવાશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy