♦ પર્યાવરણ સાથે સંકળાયેલા એનજીઓના આવકવેરા રિટર્નના રીએસેસમેન્ટને પડકારતી રીટ પર જવાબ
નવી દિલ્હી:
આવકવેરા વિભાગે સુપ્રીમ કોર્ટમાં એક એક ચોકાવનારા ઘટસ્ફોટમાં જણાવ્યું હતું કે વિદેશી સંસ્થાઓ ભારતમાં કેટલાક સ્વૈચ્છીક સંગઠનો તથા ટ્રસ્ટોને ભંડોળ આપીને તેમના મારફત ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ સહિત સરકારી પ્રોજેકટ રોકવાના પ્રયાસો કરી રહી છે.
પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા મનાતા એક સ્વૈચ્છીક સંગઠન એન્વાર્યનીક ટ્રસ્ટ દ્વારા તેના આવકવેરા રિટર્નના રી-એસેસમેન્ટની આવકવેરા વિભાગની કાર્યવાહીને પડકારતી રીટ સંદર્ભમાં જવાબ રજુ કરતા આવકવેરા વિભાગે આ ધડાકો કર્યો હતો. આઈટી વિભાગે સોગંદનામામાં જણાવ્યું કે આ એનજીઓ સામે 7 સપ્ટેમ્બર 2022ના સર્વે કરવામાં આવ્યો હતો.
તમામ તપાસ બાદ આ એનજીઓની પ્રવૃતિ તેના હેતુ મુજબની કે વાસ્તવિક નથી એ પણ માહિતી તથા પુરાવા મળ્યા કે વિદેશી સંસ્થાઓ આ પ્રકારના ટ્રસ્ટોને અને બિનસરકારી સંગઠનોનો ભંડોળ પુરુ પાડીને તેનો ઉપયોગ વિવિધ સરકારી યોજનાઓના જે દેશહિતની હોય છે.
લોકોની સુવિધા માટે મહત્વની હોય છે તેને રોકવા માટે આ સંસ્થાઓનો ઉપયોગ કરે છે. તેઓ આ યોજનાઓનો વિરોધ કરવા નાણા આપીને આંદોલનકારીઓને રોકે છે. કાનૂની વિધાનો સર્જે છે અને તે રીતે દેશહિત વિરુદ્ધ કામગીરી કરે છે. આ સંસ્થાને જે 90 ભંડોળ ઉપલબ્ધ બન્યુ છે તેના 90% વિદેશી ડોનેશન છે.
આવકવેરાના સોગંદનામામાં જણાવ્યું કે દેશની વિકાસ યોજનાઓને રોકવા માટે વિદેશી સંસ્થાઓ દ્વારા એક આયોજનબદ્ધ રીતે કામ કરવામાં આવે છે. જો કે આ સંસ્થાને નોટીસ આપવામાં તે ફેકટરને ધ્યાનમાં લેવાયુ નથી. પરંતુ પણ જયારે ટ્રસ્ટ મારફત કલમ 226 હેઠળ આ રી-એસેસમેન્ટને પડકાર ફેકાયો છે તો તે સંદર્ભ હાઈકોર્ટ સમક્ષ આ માહિતી આપવી જરૂરી છે.
આ ટ્રસ્ટે 2016/17માં રૂા.14.27 કરોડ મેળવ્યા હતા. તેમાં રૂા.13.66 કરોડ વિદેશી ભંડોળ હતું. આ ટ્રસ્ટે ઓડિસામાં એક વિકાસ યોજનાને રોકવા પૈસા આપીને વિરોધ પ્રદર્શન કરાવ્યા હતા. તેઓએ દેખાવકારોને બેન્ક મારફત દરેકને રૂા.1250 ટ્રાન્સફર કર્યા હતા જે રાહત પેકેજના નામે અપાયા હતા. તેઓ આ રીતે વિદેશી ભંડોળનો ઉપયોગ દેશની યોજનાઓને રોકવા માટે કરે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy