રાજકોટ,તા.2
લોકસભા ચૂંટણી માટેના પ્રચારનો દોર ચાલુ છે.રાજકોટના કેટલાક પ્રભારીઓને અન્ય રાજયોમાં પ્રચાર પ્રસાર માટે મોકલવામાં આવ્યા છે ત્યાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પંજાબના પ્રભારી બની પ્રચાર પ્રસારની જવાબદારી સોપવામાં આવી છે.
તેઓ છેલ્લા ચાર દિવસથી પંજાબમાં પડાવ નાખી વિવિધ કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે. અને આજરોજ વધુ એક બેઠકમાં ભાગ લીધો હતો.આજરોજ પંજાબના તરનતારન સાહિબ લોકસભા સીટની ભાજપ કોર કમીટીના પદાવીકારીઓની સંગઠનાત્મક બેઠક યોજાય હતી.
જેમાં ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી પણ જોડાયા હતા અને પ્રચાર પ્રસારની કામગીરીની સમીક્ષા કરી હતી. આ તકે ત્યાના ભાજપ પ્રભારીઓને પ્રોત્સાહીત કર્યા હતા અને ભાજપના પ્રચંડ વિજય માટે જયઘોષ કરાવ્યો હતો.
તેઓને પંજાબના પ્રભારી તરીકે મોકલવામાં આવ્યા છે. હાલ ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રચારનો ધમધમાટ ચાલુ છે. પંજાબમાં પ્રચંડ વિજય મેળવવા તૈયારીઓ ચાલી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy