રાજકોટ, તા.27
શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધમરપુરના સંસ્થાપક ગુરુદેવ રાકેશજી આવતીકાલ રાજકોટ પધારી રહ્યા છે તેમનું કાલ તથા સોમવારના પ્રવચન યોજવામાં આવેલ છે. આ અંગેની વિગતો આપવા ‘સાંજ સમાચાર’ કાર્યાલય પર કુમાર દોશી, જીતેન ભણશાલી વગેરે આવેલા હતાં.
આગામી તા.29ને સોમવારે પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીનો દેહોત્સર્ગ દિન છે તે નિમિત્તે જ્ઞાન મંદિરમાં તા.29 તથા તા.30ના કાર્યક્રમો યોજવામાં આવેલ છે.
ગુરુદેવ રાકેશજીનો આવતીકાલે રાત્રે 8 થી 10 હેમુ ગઢવી હોલ ખાતે તથા તા.29ના બપોરે 4 થી 5 શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર, આકાશવાણી સામે સત્સંગનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે.
150 વર્ષ પૂર્ણ ભગવાન મહાવીર સ્વામીના સનાતન માર્ગના પ્રવર્તક અને ઉદ્ધારક, દિવ્ય દ્રષ્ટા, આત્મજ્ઞાની સંત, મૂર્તિમાન અધ્યાત્મ, તીવ્ર પ્રજ્ઞાવંત શ્રીમદ્ રાજચંદ્રજીએ આમતપ્રાપ્તિનો માર્ગ ઉદ્ધાટિત કર્યો. શ્રીમદ્જી તેમના અંતિમ દિવસોમાં રાજકોટ રોકાયા હતા. આથી રાજકોટ શ્રીમદ્જીના સમાધિસ્થળ તરીકે સુવિખ્યાત છે.
આધ્યાત્મિક આર્ષદ્રષ્ટા શ્રી રાકેશજી
શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ ભક્ત, આત્મજ્ઞાની ગુરુ, આધ્યાત્મિક આર્ષદ્રષ્ટા, માનવતાના અધિનાયક અને શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક ગુરુદેવ રાકેશજી રાજકોટ પધારી રહ્યા છે. પૂ. ગુરુદેવના સત્સંગનો લાભ રાજકોટવાસીઓને તા.28ના હેમુ ગઢવી ઓડિટોરિયમ અને તા.29ને રાજકોટ જ્ઞાન મંદિરમાં એમ બે દિવસ મળવાનો છે.
શ્રીમદ્ રાજચંદ્રજીનો બોધ જેના અણુએ અણુમાં ધબકે છે, એવું આંતરિક રૂપાંતરણ માટે કાર્યરત એક આધ્યાત્મિક અભિયાન-શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર વિશ્ર્વના પાંચ ખંડોમાં 206 કેન્દ્રો દ્વારા પ્રવર્તમાન છે. પૂજ્ય ગુરુદેવ રાકેશજીની અવિરત કરુણાનું સાકાર રૂપ છે. વિશ્ર્વ વ્યાપી સામાજિક અભિયાન શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર જે નિષ્ઠામ સેવા દ્વારા અભાવગ્રસ્ત લોકોને શાતા પહોંચાડે છે. તેઓ વિશ્ર્વભરમાં આવેલ 96 યુથ ગ્રુપ દ્વારા હજારો યુવાનોને ઉચ્ચ જીવનલક્ષ તરફ દોરી રહ્યા છે અને શ્રીમદ્ રાજચંદ્ર ડિવાઇનટચના માધ્યમથી 252થી વધુ મૂલ્ય શિક્ષણ કેન્દ્રો બાળકોનું ઘડતર કરી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy