શ્રીનગર,તા.16
જમ્મુ-કાશ્મીરમાં ખરાબ મોસમ વચ્ચે જેલમ નદીમાં એક બોટ ઉંધી વળી જતા ચાર વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે જયારે હજુ કેટલાક નદીમાં ડુબી ગયા હોવાની આશંકા છે અને એનડીઆરએફની ટીમે તલાશ શરુ કરી છે. અહી છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને હિમસ્ખલન સહિતની ઘટનાઓ બની છે.
હવામાન વિભાગે પણ લોકોને સાવધ રહેવા અપીલ કરી છે તે વચ્ચે શ્રીનગરમાં સ્કુલના બાળકોને લઈ જઈ રહેલી એક બોટ નદીના ભારે પ્રવાહના કારણે ઉંધી વળી ગઈ હતી અને બાળકો પાણીમાં તણાવા લાગ્યા હતા જેમાં ચાર બાળકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. જો કે સતાવાર તંત્રએ હજુ બોટમાં બાળકો પ્રવાસ કરી રહ્યા હોવા અંગે કોઈ માહિતી આપી નથી અને રાહત બચાવ કામ ચાલુ છે.
બીજી તરફ હવામાન વિભાગે કાશ્મીર ખીણના બે જિલ્લાઓમાં હિમપ્રપાતની ચેતવણી આપી છે અને ઉતર કાશ્મીરના કુપવાડા જીલ્લા અને મધ્ય કાશ્મીરના ગંદેરબલમાં 2400 મીટરથી ઉંચેની ઘાટીઓમાં હિમસ્ખલનની ચેતવણી અપાઈ છે અને લોકોને બિનજરૂરી રીતે આ વિસ્તારમાં ન જવા જણાવાયુ છે.
જમ્મુ-કાશ્મીર હાઈવે પર પણ ભેખડો ધસી જતા ટ્રાફીકમાં મુશ્કેલી થઈ રહી છે અને રાજય સરકાર દ્વારા રાહત કામગીરી શરુ કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy