રાજકોટ, તા. 2
સોના-ચાંદીમાં અફડાતફડીનો દૌર ચાલુ રહ્યો હોય તેમ બે દિ’ની મંદી બાદ આજે ફરી ઉછાળો નોંધાયો હતો. સોનામાં રૂા.500 તથા ચાંદીમાં રૂા.1000નો ઉછાળો નોંધાયો હતો. રાજકોટમાં હાજર સોનુ રૂા.500ના સુધારાથી 73800 થયું હતું.
કોમોડીટી એકસચેંજમાં ભાવ ઉંચકાઇને 70700 સાંપડયો હતો. હાજર ચાંદી 1000ના સુધારાથી 82550 હતી. ઝવેરીઓના કહેવા પ્રમાણે વિશ્ર્વ બજારની તેજી-મંદીના પગલે અફડાતફડીનો દૌર ચાલી રહ્યો છે અને હજુ તે યથાવત જ રહેવાની સંભાવના છે.
અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કોઇ ઘટાડો કરવામાં આવ્યો ન હોવાથી માનસ મજબુત બન્યું હતું. અત્યાર સુધી એવી અટકળો પ્રર્વતતી હતી કે અમેરિકામાં આ વખતે વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે. ગઇકાલે ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજ યથાવત રાખવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
ફુગાવાની સ્થિતિ હજુ યોગ્ય સ્તરે ન હોવાથી વ્યાજદર ઘટાડવાની યોજના સ્થગિત કરી દેવામાં આવ્યાનું માનવામાં આવી રહ્યું છે. વ્યાજ નહીં ઘટતા સોના-ચાંદીમાં ફરી તેજી થઇ ગઇ હતી.
સોની બજારના વેપારીઓના કહેવા પ્રમાણે બે દિવસના ઘટાડાથી આગામી અખાત્રીજમાં ઘરાકી સારી નીકળશે તેવો આશાવાદ સર્જાયો હતો પરંતુ આજથી ફરી ભાવ વધવા લાગતા ઘરાકી વિશે ફરી અનિશ્ર્ચિતતા ઉભી થવા લાગી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy