માલદા (પશ્ચિમ બંગાળ),તા.26
અત્રે ચુંટણી રેલી સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે હું આપ લોકોના પ્રેમને વિકાસ કરીને પાછો આપીશ. આટલુ જ નહીં પીએમે બંગાળ પ્રત્યે પોતાના પ્રેમને પ્રગટ કરતા જણાવ્યું હતું કે મને લાગે છે કે ગત જન્મમાં હું બંગાળમાં પેદા થયો હતો અથવા તો હવે પછીનો જન્મ બંગાળની માતાના ખોળામાં થશે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, આપ લોકો એટલી મોટી સંખ્યામાં આવ્યા છો કે મેદાન પણ નાનુ પડયું છે. આપને પડી રહેલી તકલીફ બદલ ક્ષમા માંગુ છું. આ તકે વડાપ્રધાને ટીએમસી સરકાર પર નિશાન સાધતા જણાવ્યુ હતું કે, અહીં શું શું નથી થતું. અહીં શિક્ષક કૌભાંડ, રાશન કૌભાંડ બધું જ ચાલી રહ્યું છે.
અમે દિલ્હીથી બંગાળના લોકો માટે જે પૈસા મોકલીએ, તેના પર ટીએમસી રોક લગાવે છે, એ પૈસા એ લોકો ખાય છે. મોદીએ વધુમાં જણાવ્યું હતુ કે આ લોકોએ ગરીબોને 5 લાખ રૂપિયાના મફત સારવારવાળી આયુષ્યમાન યોજના રોકી દીધી છે.
રેલીને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે, એક સમય હતો જયારે બંગાળ ભારતના વિકાસનું એન્જીન હતું પછી તે સામાજીક સુધારણા હોય, વૈજ્ઞાનિક સિદ્ધિ હોય... એવું કોઈ ક્ષેત્ર નહોતું જેમાં બંગાળ આગેવાની ન કરતું હોય પરંતુ પહેલા ડાબેરી પક્ષ અને હવે તૃણમુલ કોંગ્રેસે રાજયની મહાનતા તોડી નાખી છે, વિકાસની ટ્રેનને રોકી દીધી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy