સંભાજીનગર (મહારાષ્ટ્ર) તા.8
ઈવીએમમાં ચેડા થઈ શકે છે, હેક થઈ શકે છે તેવા ઈવીએમ સામે અનેક લોકો આરોપ લગાવે છે પણ આ મામલે ચૂંટણીપંચે અને સુપ્રીમ કોર્ટે પણ જાહેર કયુર્ં છે કે આવું કંઈ થતું નથી ત્યારે સંભાજીનગરમાં ઈવીએમ હેક કરવાને બહાને શિવસેના (ઉધ્ધવ બાલ ઠાકરે)ના એક નેતા પાસેથી અઢી કરોડ ખંખેરવાનો કારસો સેનાના એક જવાને કર્યો હતો પણ નેતાએ આ મામલે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે સેનાના જવાનની ધરપકડ કરવામાં આવી છે. કરજમાં ડૂબેલા આ જવાને બાદમાં એવી કબુલાત કરી હતી કે તે ઈવીએમ બાબતે કંઈ જાણતો નથી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ સેનાના જવાન મારૂતિ ધાક (ઉ.42)એ શિવસેના (યુબીટી)ના નેતા અને મહારાષ્ટ્ર વિધાન પરિષદના વિપક્ષી નેતા અંબાદાસ દાનવે સમક્ષ મારૂતિએ દાવો કર્યો હતો કે તે ઈવીએમમાં ખેલ (હેક) કરીને કોઈ ઉમેદવારને વધારે વોટ અપાવી શકે છે. આ માટે મારૂતિએ અઢી કરોડ રૂપિયાની માંગ કરી હતી.
અંબાદાસ દાનવેએ આ મામલે પોલીસને જાણ કરતા પોલીસે છટકુ ગોઠવીને મારૂતીની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તે કરજમાં ડૂબેલો છે તેને ઈવીએમની કોઈ જાણકારી નથી. કરજ ઉતારવા તેણે આ ચાલ ચાલી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy