નવીદિલ્હી તા.8
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઘોષણાપત્રમાં આર્થિક અને જાતિગત સર્વે કરવાની વાત છે તેને લઈને ભાજપે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ સતામાં આવશે તો દેશવાસીઓની સંપત્તિનો સર્વે કરશે.
આ મામલે દેશના અર્થશાસ્ત્રી ગૌતમ સેને જણાવ્યું હતું કે સંપત્તિના ભાગલાની યોજના ભારતમાં કામ ન કરી શકે તેમણે જણાવ્યું હતું કે માત્ર 12 કરોડ લોકો પાસે 102 કરોડથી વધુ સંપત્તિ છે અને આ બધી સંપત્તિ તેમણે પોતાના વ્યવસાયોમાં રોકી છે. જેથી સંપત્તિના ભાગલાના કારણે દેશના 98થી 99 ટકા લોકોની જીંદગી પર ખરાબ અસર પડશે.
ગૌતમ સેને જણાવ્યું હતું કે મોદી સરકારે ગરીબોની જિંદગી બહેતર બનાવી છે. દેશમાં 25 કરોડથી વધુ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે સંપત્તિના ભાગલાથી દેશના 98થી 99 ટકા લોકોની જિંદગી પર ખરાબ અસર પડશે. જો વારસા કર લાગુ પડે તો અર્થ વ્યવસ્થા રોકાઈ જાય.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy