નવી દિલ્હી, તા.16
નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબ્ટેન્સ (એનડીપીએસ) એક્ટના મામલામાં શું કોઇ આરોપીને ત્યારે જામીન મળી શકે છે? જ્યારે ચાર્જશીટની સાથે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) રિપોર્ટ રજુ કરવામાં ન આવ્યો હોય? સુપ્રિમ કોર્ટે આ કાનૂની મામલાને લાર્જર બેન્ચને મોકલી આપ્યો છે, હવે લાર્જર બેન્ચ આ કાનૂની સવાલનું નિરીક્ષણ કરશે. આરોપીએ નિશ્ર્ચિત સમય સીમામાં ચાર્જશીટ સાથે એફએસએલ રિપોર્ટ રજુ ન થવા પર જામીનની માંગ કરી છે.
શું છે આખરે મામલો?
સીઆરપીસીની કલમ-167(2) અંતર્ગત ધરપકડ બાદ નિશ્ચિત સમય સીમામાં ચાર્જશીટ દાખલ ન કરવા પર ડિફોલ્ટ બેલ આપવાની જોગવાઇ છે. ભલે પછી માલો બેહદ ગંભીર કેમ ન હોય પણ જો સમયસર પોલીસ ચાર્જશીટ દાખલ નથી કરતી તથા આરોપીને જામીન આપી શકાય છે.
10 વર્ષ કે એથી વધુ સજાની જોગવાઇવાળા મામલામાં ધરપકડના 90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવું જરૂરી છે જ્યારે 10 વર્ષની કેદથી ઓછી સજાવાળા મામલામાં 60 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવાની હોય છે.
હાલના મામલામાં ચાર્જશીટની સાથે સાથે એફએસએલ રિપોર્ટ દાખલ નહોતો કરાયો અને તેના આધારે જામીનની માંગ કરાઇ છે. સુપ્રિમ કોર્ટની લાર્જર બેન્ચ જ્યારે મામલાનું પરીક્ષણ કરશે તો જે પણ નિર્ણય આવશે. આવનારા દિવસોમાં કેસના માટે ઉદાહરણ બની રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy