કેરળ, તા.18
લચ્છા પરાઠા પર વધુ જીએસટીને લઈને એક અરજી હાઈકોર્ટમાં પહોંચી હતી. કોર્ટમાં આ મુદ્દે જોરશોરથી ચર્ચા ચાલી હતી. સુનાવણીમાં કોર્ટે જણાવ્યું કે, જે સામગ્રીમાંથી પરાઠા તૈયાર કરવામાં આવે છે તેના પર માત્ર 5 ટકા જીએસટી લાગુ પડે છે. તેના પર કોર્ટે ચુકાદો આપ્યો કે આવી સ્થિતિમાં પરાઠા પર 18 ટકા જીએસટી લગાવવો ખોટું છે.
મળતી માહિતી મુજબ, આ કેસની સુનાવણી જસ્ટિસ દિનેશ કુમાર સિંહની અધ્યક્ષતાવાળી બેંચ કરી રહી હતી. કોર્ટે આ નિર્ણય મોડર્ન ફૂડ એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આપ્યો છે. લિ.એ સરકારી આદેશને પડકાર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, પરાઠા પર 18% જીએસટી લાદવામાં આવશે. કેરળ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન, સરકારે ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ (AAR) અને એપેલેટ ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગ (AAAR) ના આદેશોને ટાંક્યા હતા અને પરાઠા પર 18 ટકાના દરે જીએસટી લાદવાની હિમાયત કરી હતી.
જ્યારે, અરજદાર વતી એવી દલીલ કરવામાં આવી હતી કે, એક્સાઈઝ કસ્ટમ્સ ટેરિફ એક્ટ મુજબ, ઘઉં પર જીએસટી દર 5 ટકા છે અને તે જ લચ્છા પરાઠામાં વપરાય છે. આવી સ્થિતિમાં, જે ઉત્પાદનોની મદદથી લચ્છા પરાઠા તૈયાર કરવામાં આવે છે તેના પર જો 5 ટકા ટેક્સ લાગે છે, તો પરાઠા પર 18 ટકા જીએસટી શા માટે લાદવો જોઈએ?
સરકાર વતી એડવોકેટે આ દાવાનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે સામગ્રી અને પ્રક્રિયા અલગ વસ્તુઓ છે. ઘઉંના લોટની સરખામણી પરાઠા સાથે ન કરવી જોઈએ. જો કે, કોર્ટે સરકાર દ્વારા રજૂ કરાયેલી આ દલીલને ફગાવી દીધી હતી અને અરજદારની દલીલને યોગ્ય ગણાવી હતી, કેસની સુનાવણી કર્યા પછી, કોર્ટે આદેશ આપ્યો હતો કે લચ્છા પરોઠા પરનો ટેક્સ નિયમ મુજબ નથી, તેથી 18 ટકા ટેક્સ લેવાને બદલે 5 ટકા જ ટેક્સ વસૂલવો જોઈએ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy