◙ બપોરે 12 વાગ્યે વિધિ વિધાન, પુજા, મંગલ ગીતો, ભજનો ગાન સાથે જન્મોત્સવ ઉજવાયોઅયોધ્યા તા.17
અયોધ્યાના નવનિર્મિત રામમંદિરમાં આજે રામનવમીએ અલૌકીક ઘટના બની હતી. મંદિરમાં બિરાજમાન રામલલ્લાને સૂર્યદેવે તિલક કર્યું હતું, અર્થાત રામલલ્લાના લલાટ પર વિજ્ઞાનની મદદથી સૂર્યની કિરણો પરાવર્તિત કરી અભિષેક કરાઈ હતી.
બપોરે 12.01 વાગ્યે સૂર્ય કિરણ અભિષેકનો જીવંત આરંભ થયો હતો જે લગભગ પાંચ મિનિટ સુધી ચાલ્યો હતો. સૂર્યનું પ્રથમ કિરણ જેવું રામલલ્લાના મસ્તક પર પહોંચ્યું તો મંદિરનું વાતાવરણ ભક્તિમાં ડૂબી ગયું હતું.
આ તકે વિધિવિધાન સાથે ભગવાન રામની પૂજા કરવામાં આવી હતી અને ભગવાન રામના જન્મોત્સવ પ્રસંગે પૂજાની સાથે સાથે મંગલ ગીત અને ભજનો ગવાયા હતા.
રામલલ્લાની સૂર્યાભિષેકની તસવીરો ટીવી ચેનલો અને સોશિયલ મીડીયામાં પણ વાયરલ થઈ છે, જે જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા છે. સૂર્યાભિષેકનું મહત્વ: ઉલ્લેખનીય છે કે ભગવાન રામનો જન્મ સૂર્યવંશમાં થયો હતો અને તેમના કુળદેવતા સૂર્યદેવતા છે.
જયારે ભગવાન રામનો જન્મ થયો ત્યારે અભિજીત મુર્હુત હતું અને સૂર્યદેવ પોતાના પુર્ણ પ્રભાવમાં હતા એટલે રામનવમીએ રામલલ્લાને સૂર્ય અભિષેકનું ખાસ મહત્વ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy