દાર્જિલિંગ : લોકસભા ચૂંટણીમાં પણ ઘણી રસપ્રદ ઘટનાઓ જોવા મળી રહી છે. આ શ્રેણીમાં, પશ્ચિમ બંગાળથી એક રસપ્રદ ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં કોંગ્રેસના પ્રદેશ મહાસચિવ અને ગોરખા નેતા વિનોય તમંગે ભાજપ માટે વોટ માંગ્યા હતા. આ પછી શું થયું તે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
વાસ્તવમાં એવું થયું કે કોંગ્રેસે મંગળવારે પાર્ટીના પશ્ચિમ બંગાળ એકમના જનરલ સેક્રેટરી વિનય તમંગને ’પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ’ને કારણે છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. ગોરખા નેતાએ ભાજપના દાર્જિલિંગ લોકસભા સીટના ઉમેદવાર રાજુ બિસ્તાને સમર્થન આપ્યાના કલાકો બાદ કોંગ્રેસે આ પગલું ભર્યું હતું.
કોંગ્રેસના નેતા બિનોય તમંગે મંગળવારે કહ્યું હતું કે, તેઓ ચૂંટણીમાં દાર્જિલિંગ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજુ બિસ્તાને સમર્થન કરશે અને પહાડી વિસ્તારના લોકોને પણ ભાજપના ઉમેદવારને મત આપવા વિનંતી કરશે. પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસના મહાસચિવ તમંગે કહ્યું કે તેમણે આ નિર્ણય ‘તમામ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક વિચારણા અને સમજણ પછી’ લીધો છે.
તેમણે કહ્યું કે હું હજુ પણ કોંગ્રેસ સાથે છું. પરંતુ અહીં ભાજપ જીતશે. અમે તેને અહીં અનુભવી શકીએ છીએ. અમે મુનીશ તમંગને સમર્થન આપતા નથી કારણ કે આ સંબંધમાં કોંગ્રેસના કોઈ નેતાની સલાહ લેવામાં આવી ન હતી.
તમંગે કહ્યું કે કોંગ્રેસમાંથી તેમની હકાલપટ્ટી એ ‘ગોરખાની જીત’ છે અને તેઓ તેને વધારે મહત્વ આપતા નથી. કોંગ્રેસમાંથી મારી હકાલપટ્ટી એ ગોરખાની જીત અને સૌથી જૂની પાર્ટીની હાર છે.
દરમિયાન કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય મનોજ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે વિનય તમંગને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે સંગઠનમાંથી છ વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યો છે અને આ તાત્કાલિક અસરથી અમલી બન્યો છે. દાર્જિલિંગમાં 26 એપ્રિલે મતદાન થવાનું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy