નવી દિલ્હી,તા.24
દેશના જાણીતા વકીલો કોર્ટમાં કેસ લડવાની ફી લાખો રૂપિયામાં લેતા હોય છે. તેમાં ગરીબ અને મજબૂર વ્યક્તિઓની તો આખા જીવનની મૂડી દાવ પર લાગી જતી હોય છે.
ભારતના સીજેઆઈ ચંદ્રચૂડે એક કેસની સુનાવણી કરતા જણાવ્યું હતું કે, તેણે પોતાના પહેલા કેસની ફી 60 રૂપિયા લીધી હતી. ખરેખર તો સીજેઆઈ ચંદ્રચૂડ સોમવારે જુદા જુદા રાજયોમાં બાર કાઉન્સીલમાં નામાંકન માટે ઉંચી ફી વસુલવાના કેસમાં સુનાવણી કરતા ઉપરોક્ત વિગત આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, દેશભરમાં કાયદાના સ્નાતકોને વકીલ તરીકે નામાંકન માટે 600 રૂપિયાથી વધુ ફી વસુલી ન શકાય. સુપ્રીમ કોર્ટે રાજયની બાર કાઉન્સીલો વસુલવામાં આવતી ફીના કેસમાં સુનાવણી કરી હતી. મહારાષ્ટ્ર દિલ્હીમાં આ ફી 15000 તો ઓરિસ્સા જેવા રાજયોમાં 41000 વસુલાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy