નવી દિલ્હી તા.6
આવકવેરા વિભાગ નવું ઘર ખરીદનારાઓને વિશેષ ટીડીએસ કપાતથી હાલ તરત રાહત આપી છે. તેના માટે સંપતિ વેચનાર વિક્રેતાએ 31 મે સુધીમાં પોતાના પાન અને આધારને લિંક કરવાનો રહેશે. જો વિક્રેતા આમા ચૂકી જશે તો ખરીદનારે વધેલા દરથી વધારાનો ટીડીએસ ચૂકવવો પડશે. આ મામલે અનેક લોકોને નોટિસ પણ મોકલવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગત એક વર્ષમાં દેશભરમાં લગભગ 16 હજારથી વધુ ઘર ખરીદનારાઓને નોટીસ મોકલી તેમની પાસેથી ખરીદી સંપતિ પર તેમની પાસેથી વધારાનો ટેકસ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગનું કહેવું હતું કે જે વિક્રેતાઓએ આ સંપતિ વેચી છે, તેમના પાન નંબર નિષ્ક્રીય છે અથવા તો આધાર સાથે લિંક નથી.
આ પરીસ્થિતિમાં ખરીદનારે વધારાના કરનું ચૂકવણું કરવું પડશે, પણ હાલમાં જ જાહેર એક સકર્યુલરમાં વિભાગે આવા ઘર ખરીદનારાઓને રાહત આપીને પાન અને આધારને લિંક કરાવવા માટે 31 મે 2024 સુધીનો સમય આપ્યો છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આનો મતલબ એ છે કે ખરીદનારે નોટિસ રદ કરાવવા માટે વિક્રેતાને પોતાના પાનને પોતાના આધાર સાથે લિંક કરવાનો આગ્રહ કરવો પડશે.
અનેક ખરીદનારાઓએ અદાલતનો દરવાજો ખખડાવ્યો: અરજદારોનું કહેવું છે કે આમાં તેમની કોઈ ભુલ નહોતી. તેમણે બધી કાનૂની પ્રક્રિયાઓનું પાલન કર્યું હતું પણ આવકવેરાની નોટિસનો તેમને સામનો કરવો પડે છે.
વિશેષજ્ઞો બોલ્યા- વિક્રેતાની જ જવાબદારી: વિશેષજ્ઞોનું કહેવું છે કે આવકવેરા વિભાગે વિક્રેતાની જવાબદારી નકકી કરવી જોઈએ. તે પોતાના પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવે, નહીં કે ખરીદનારાઓ પર ટીડીએસનો બોજ નાખવામાં આવે. નિશ્ર્ચિત તારીખ સુધીમાં પાન-આધાર લિંક ન થવા પર વિક્રેતાને જ નોટિસ મોકલવી જોઈએ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy