(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી તા.1
ધોરાજી શહેરમાં કુતરાઓનો ત્રાસ વધ્યો છે. કુતરા પકડવા અંગેની કાર્યવાહી ન થયેલ હોય શહેરમાં કુતરાઓની સંખ્યામાં વધારો થયેલ છે. શહેરમાં કુતરાઓનો ત્રાસ વધી રહ્યો છે. ગત તા.29/4ના રોજ ધોરાજીના જુદા જુદા વિસ્તારોમાં 5 લોકોને કુતરાઓએ બચકા ભરી લીધા હતા જે બાદ તા.30/4ના 2 લોકોને બચકા ભર્યા હતા. એક મહીનામાં 160 લોકોએ હડકવા વિરોધી રસી ધોરાજી સરકારી હોસ્પીટલમાંથી લીધી છે. ધોરાજીમાં કુતરા કરડવાના બનાવો વધી રહ્યા છે અને કુતરાઓને લીધે વાહન અકસ્માતોનો ભય પણ વધે છે. ત્યારે તંત્ર દ્વારા ધોરાજીમાં કુતરા પકડવા અંગે તાત્કાલીક કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy