નવી દિલ્હી:
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે નવેસરથી શરૂ થયેલા તનાવમાં નાણામંત્રી નિર્મલા સીતારામને ભારતે હવે નવા પડકારો માટે તૈયાર રહેવું પડશે તેવો સ્પષ્ટ સંકેત આપી દીધો છે. તેઓએ જણાવ્યું કે કોવિડ 19 બાદની આ બીજી મોટી કટોકટી દેશ સમક્ષ આવી રહી છે અને યુક્રેન-રશિયા યુદ્ધ બાદ અમો સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ.
ચીફ ઈકોનોમીક એડવાઈઝર જે નવા અલગ અલગ સંકેતો મળી રહ્યા છે તેને મોનીટરીંગ કરે છે. તેઓએ જણાવ્યું કે ટેસ્લાના વડા એલન મસ્ક હવે ભારત આવી રહ્યા છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સાથે તેમની મુલાકાત દર્શાવે છે કે ભારત હવે એક મોટા ટેક-રીવોલ્યુશન ભણી આગળ વધી રહ્યું છે અને વિશ્વની મોટી કંપનીઓ ભારતમાં તેના ઉત્પાદન એકમો લાવી રહી છે.
તેઓએ એ પણ ઉમેર્યુ કે, તમામ પડકારો વચ્ચે ભારતનું અર્થતંત્ર 6.8%ના દરે વિકાસ સાધી રહ્યું છે અને તેણે વિશ્વના સૌથી ઝડપથી વધતા અર્થતંત્ર તરીકેનું તેનું સ્થાન જાળવી રાખ્યુ છે.
સિતારામને જણાવ્યુ કે, ઘરઆંગણે આ વર્ષે આપણુ ચોમાસુ ખૂબ જ સારૂ જવાના પુર્વાનુમાન છે અને ભારત માટે તે સૌથી મહત્વનું છે છતા પણ બહારી પરિબળો આપણને અસર કરે છે તેના માટે તૈયાર રહેવુ પડશે.
વ્યાજદર અંગેના એક પ્રશ્નના જવાબમાં સિતારામને કહ્યું કે, રીઝર્વ બેન્ક અને કેટલીક અન્ય દેશોની મધ્યસ્થ બેન્કો સ્વતંત્ર નિર્ણયો લઈ રહી છે અને તે અમેરિકી ફેડ રીઝર્વ સાથે જ હોય તે જરૂરી નથી અને અમેરિકા કરે તે જ કરવુ તે પણ જરૂરી નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy