► દિલ્હી-મુંબઈ-બેંગ્લોર-ચંદીગઢ સહિતના શહેરોમાં જાહેર દેખાવના સ્થળોથી દુર રહેવા પણ સલાહ આપી
નવી દિલ્હી,તા.18
સતત ભારત વિરોધી વલણ દાખવી રહેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો સરકારે હવે ભારતની ચુંટણી અંગે પણ એક એડવાઈઝરી જાહેર કરીને ભારતમાં પ્રવાસે આવેલા કેનેડાના નાગરિકોને સાવધ રહેવા સલાહ આપી છે. કેનેડા સરકારે જાહેર કરેલી એડવાઈઝરીમાં જણાવ્યું છે કે ભારતમાં ચુંટણી છે અને વિરોધ પ્રદર્શન પણ થઈ શકે છે અને ગમે ત્યારે અઘોષિત કર્ફયુ પણ લાગી શકે છે.
એક તરફ ભારતમાં ચુંટણીમાં મતદાનમાં પ્રથમ તબકકો શરૂ થઈ રહ્યો છે તે સમયે કેનેડાએ ભારતમાં રહેલા તેના નાગરિકોને વધુ સતર્કતા દર્શાવવા કહ્યું છે તેમાં જણાવાયું છે કે 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે ભારતમાં ચુંટણીઓ યોજાઈ રહી છે તે દરમ્યાન દેખાવો થઈ શકે છે. ચુંટણીના કારણે પ્રવાસ વગેરેની સમસ્યા પણ સર્જાઈ શકે છે. આ જાહેર ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાને અસર થઈ શકે છે.
કેનેડાએ તેની એડવાઈઝરીમાં જણાવ્યું છે કે ચુંટણી સમયે કોઈ આગોતરી જાણ વગર જ કર્ફયુ પણ જાહેર થાય તેવી શકયતા છે અને તેના નાગરિકોને એવા સ્થળેથી દુર રહેવા સલાહ આપી છે કે જયાં મોટાપાયે લોકો એકત્ર થતા હોય અને દેખાવો તથા પ્રદર્શન કરી રહ્યા હોય.
કેનેડાએ તેની એડવાઈઝરીમાં જુની માહિતી પણ આપી છે અને તેના રાજદ્વારીઓને અજાણ્યા લોકો સાથે બહુ નજદીકી નહી કેળવવા અને તેઓ દિલ્હી બહાર જાય ત્યારે પણ સાવધાની રાખવા જણાવ્યું છે જેમાં ખાસ કરીને બેંગ્લોર, ચંદીગઢ અને મુંબઈનો ઉલ્લેખ કર્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy