નવી દિલ્હી, તા. 17
ભારતની વસ્તી 144 કરોડ એ પહોંચી ગઇ છે અને તેમાં 67 ટકા વસ્તી 0 થી 24 વર્ષના વયના લોકોની છે. ધ યુનાઇટેડ નેશન પોપ્યુલેશન ફંડ દ્વારા 2024ના રીપોર્ટમાં જણાવાયું છે કે ભારતની વસ્તી વિશ્વમાં સૌથી પ્રથમ ક્રમે એટલે કે 144 કરોડ થઇ ગઇ છે. અને છેલ્લા 77 વર્ષમાં તે ડબલ થઇ છે. એટલું જ નહીં ચાઇનાની વસ્તી 142 કરોડની નોંધાઇ છે. છેલ્લે ભારતે જયારે વસ્તી ગણતરી કરી તે સમયે 2011માં દેશની વસ્તી 121 કરોડ નોંધાઇ હતી.
ભારતની વસ્તીમાં યુવાઓનું પ્રમાણ વધી રહ્યું છે. 0 થી 24 વર્ષની વયના લોકોની સંખ્યા 67 ટકા છે જયારે 10 થી 19 વર્ષની સંખ્યા 17 ટકા છે જયારે 10 થી 24 વર્ષના લોકોની સંખ્યા 26 ટકા છે અને 15 થી 64 વર્ષના લોકોની સંખ્યા 68 ટકા જયારે 7 ટકા ભારતીયોએ 65 વર્ષની ઉંમર વટાવી દીધી છે.
ભારતમાં સરેરાશ હવે પુરૂષો 71 વર્ષ અને મહિલાઓ 74 વર્ષ જીવે છે. ભારતમાં જોકે બાળલગ્નનું પ્રમાણ હજુ વધુ છે અને 2023માં તે 23 ટકા જેવું નોંધાયુ હતું. ભારતમાં સૌથી વધુ જન્મ અરૂણાચલ પ્રદેશના તીરપ્પમાં 1 લાખની વસ્તીએ 1671 જન્મ નોંધાયા હતા.
65 વર્ષથી વધુ ઉંમરના માત્ર 7% લોકો
દેશની માત્ર 7 ટકા વસ્તી 65 વર્ષ કે તેથી વધુ વયની છે. દેશમાં પુરૂષોનું આયુષ્ય વધીને 71 વર્ષ અને સ્ત્રીઓનું આયુષ્ય 74 વર્ષ થયું છે. 77 વર્ષ પછી 2101 સુધીમાં ભારતની વસ્તી બમણી થઈ જશે. રિપોર્ટ અનુસાર, ભારતમાં વસ્તી વધવા પાછળનું કારણ સરકારી આરોગ્ય સેવાઓમાં સુધારો અને આયુષ્યમાં વધારો છે.
રિપોર્ટમાં સગર્ભા મહિલાઓ અને માતાઓને પૌષ્ટિક આહાર આપવા માટે ચલાવવામાં આવી રહેલી યોજનાઓની પણ પ્રશંસા કરવામાં આવી છે. એવું પણ જાણવા મળ્યું છે કે ભારતમાં બાળ લગ્નનો દર 2006-2023 સુધીમાં 23 ટકા રહ્યો છે, જે ચિંતાજનક છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy