રાજકોટ, તા.26
અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ફિલીસ્તીનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન મામલે ભારતે અમેરિકાને ટપારવાની તક ઝડપી લીધી હતી. ભારતમાં કેજરીવાલ સહિતના મુદ્દે ચંચુપાત કરતા અમેરિકાને ભારતે અમેરિકાના યુનિ.ઓમાં ફિલીસ્તીન તરફી દેખાવો મુદ્દે શિખ આપી છે.
ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકા પર ટકાક્ષ કરતાં કહ્યું છે કે, દરેક લોકશાહીમાં અભિવ્યકિતની સ્વતંત્રતા, જવાબદારીની ભાવના અને જાહેર સુરક્ષા વચ્ચે સાચું સંતુલન હોવું જોઇએ.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, લોકશાહી દેશોએ ખાસ કરીને પોતાના જેવા અન્ય દેશોના બારામાં આ સમજને બતાવવી જોઇએ કે આખરે આપણા બધાનું મૂલ્યાંકન એ આધારે કરવામાં આવે છે કે આપણે સ્વદેશમાં શું કરીએ છીએ, નહીં કે આપણે વિદેશમાં શું કહીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના અનેક વિશ્વ વિદ્યાલયોમાં ઇઝરાયેલ-ગાઝાના સંઘર્ષના વિરોધમાં દેખાવો થઇ રહ્યા છે. જેના કારણે અનેક વિદ્યાર્થીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy