નવી દિલ્હી, તા.19
ઇરાન દ્વારા હાલમાં કબજે કરાયેલ એક વ્યાપારી જહાજમાં કામ કરતાં ભારતીય ક્રુ-મેમ્બરને સલામત રીતે પરત લાવવામાં સફળતા મળી છે. ઇરાની કમાન્ડોએ કેરળના થ્રિસુરના રહેવાસી એન ટોસા જોસેબને મુક્ત કરાવ્યો હતો અને તેને ભારત પરત મોકલી આપ્યો હતો.
જો કે આ જહાજ પર હજુ 16 જેટલા ભારતીયો ક્રુ-મેમ્બર છે અને તેની મુક્તિના પણ વાટાઘાટ ચાલુ છે. ઇરાને આ એક ભારતીય ક્રુને શા માટે છોડ્યો અને અન્યને શા માટે બંધક બનાવી રાખ્યા છે તે અંગે પણ સસ્પેન્સ છે.
જો કે ભારત ખાતેના ઇરાની રાજદુત ઇરાજ ઇલાહીએ જણાવ્યું હતું કે, તમામ 17 ભારતીય નાગરિકો સુરક્ષીત છે અને હવામાનની સ્થિતિ ખરાબ હોવાથી તેમને મોકલી શકાય નથી પરંતુ માનવામાં આવે છે કે જહાજનું સંચાલન ઇઝરાયેલના બીઝનેસમેન દ્વારા થાય છે અને જે રીતે ઇઝરાયેલ અને ઇરાક વચ્ચે તનાવ વધ્યો હતો તેના પગલે અન્ય ક્રુ-મેમ્બરને મુક્તિમાં વિલંબ કરવાનો નિર્ણય લીધો હોય તેમ મનાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy