ઈરાનના આક્રમણનાં ગણતરીના દિવસોમાં વળતો પ્રહાર

બદલો....ઈરાન પર ત્રાટકતુ ઈઝરાયેલ: મિસાઈલ-ડ્રોનથી હુમલો: નવા યુધ્ધના ભણકારા

World | 19 April, 2024 | 11:19 AM
► પરમાણુ કેન્દ્રો ધરાવતાં ઈસ્ફાહાનનાં એરપોર્ટ નજીક પ્રચંડ વિસ્ફોટ: ડ્રોન તોડી પડાયાનો અને અણુસ્થળો સુરક્ષિત હોવાનો ઈરાનનો દાવો
સાંજ સમાચાર

► ઈરાને તહેરાન સહિત ત્રણ શહેરોની ફલાઈટો બંધ કરી દીધી: આંતરરાષ્ટ્રીય વિમાનો વૈકલ્પિક રૂટ પરથી ઉડવા લાગ્યા: હાલત વકરવાના એંધાણ

તહેરાન તા.19
 ઈરાનનાં ડ્રોન-મીસાઈલ હુમલા બાદ હવે ઈઝરાયેલે બદલો લેવા માટે પ્રહાર શરૂ કર્યા છે અને મધ્ય પૂર્વમાં ભીષણ યુધ્ધનાં ભણકારા વાગવા લાગ્યા છે. ઈઝરાયેલે મોડીરાત્રે ઈરાન પર ડ્રોન-મીસાઈલ ઝીંકયા હતા જેને પગલે અમુક ભાગોમાં પ્રચંડ વિસ્ફોટ સંભળાયા હતા. ઈરાને મિસાઈલ હુમલાની વાત નકારીને ડ્રોન હુમલા મારી હટાવ્યાનો દાવો કર્યો છે. લોકલ વિમાની સેવા બંધ કરી દેવામાં આવી છે. જયારે આંતર રાષ્ટ્રીય વિમાનોએ રૂટ ડાઈવર્ટ કરવાનું શરૂ કરી દીધુ છે.

ઈરાનની ન્યુઝ એજન્સીએ એવો દાવો કર્યો હતો કે ઈરાનનાં શહેર ઈસ્ફાસનના એરપોર્ટ નજીક પ્રચંડ વિસ્ફોટ સંભળાયો હતો.જેને પગલે ઈરાને એરક્ધડીશન્ડ સીસ્ટમ એકટીવ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ઈરાનનાં અનેક અણુ સ્થળો ઈસ્ફાહાન ક્ષેત્રમાં જ છે.જોકે કોઈ અણુ પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યા નથી અને તમામ સુરક્ષિત છે.

સિરીયામાં ઈરાની દુતાવાસ પર હુમલાનો બદલો લેવા માટે ઈરાને ગત સપ્તાહમાં ઈઝરાયેલ પર ડ્રોન મિસાઈલ હુમલો કર્યો હતો તેના વળતા બદલારૂપે હવે ઈઝરાયેલ દ્વારા પ્રહાર કરાયો છે. ઈઝરાયેલે ગઈકાલે જ બદલો લેવાનું જાહેર કર્યું હતું અને બાદમાં મોડીરાત્રે આક્રમણ કર્યું હતું.

અમેરિકી અધિકારીઓએ ટાંકીને પણ એમ જણાવવામાં આવ્યુ છે કે ઈરાનના ઈચ્ફાહાન એરપોર્ટ પર પ્રચંડ ધડાકો સર્જાયો હતો.જોકે તે પાછળનું કારણ સ્પષ્ટ થયુ નથી.
ઈરાની મીડીયાનાં રીપોર્ટ પ્રમાણે મધરાત બાદ ઈસ્ફાહાન એરપોર્ટ નજીકનાં આકાશમાં ત્રણ ડ્રોન નજરે ચડયા હતા.

ઈરાને એર ડીફેન્સ સીસ્ટમ એકટીવ કરીને ત્રણેય ડ્રોનને આકાશમાં જ તોડી પાડયા હતા. ડ્રોન હુમલા મારી હટાવ્યા હતા. પરંતુ કોઈ મીસાઈલ મિસાઈલ અટેક થયા ન હતા.એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ક્ષેત્રમાં ઈરાનનાં અનેક પરમાણું કેન્દ્રો છે પરંતુ તે તમામ સુરક્ષીત છે.

મધરાત બાદ ઈઝરાયેલ હુમલા શરૂ થવા સાથે આંતર રાષ્ટ્રીય વિમાનોએ રૂટ બદલવાનું શરૂ કરી દીધુ હતું. પશ્ર્ચિમી ઈરાનનાં આકાશના બદલે વૈકલ્પિક માર્ગેથી વિમાન ઉડ્ડયન શરૂ કરાયા હતા. ઈરાને લોકલ વિમાની વ્યવહાર બંધ કરી દીધો હતો.ઈસ્ફાહાન, શીરાઝ તથા તહેરાનની વિમાની સેવા અનિશ્ર્ચિત મુદત માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.

ઈઝરાયેલનાં આ હુમલાને પગલે પશ્ર્ચિમી એશીયામાં ભૌગોલીક ટેન્શન વધુ વકરવાની આશંકા વ્યકત કરવામાં આવી હતી. આ મુદ્દે યુનોની સુરક્ષા પરિષદમાં પણ ઉઠયો હતો અને બન્ને દેશોને સંયમ રાખવાની સલાહ આપવામાં આવી હતી. હવે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ ઉપરાંત નવો મોરચો ખુલતા સમગ્ર પશ્ર્ચિમ એશીયામાં હાલત વકરવાનાં ભણકારા છે.

ઈરાનના વડા ખોમૈનીના 85 માં જન્મદિને જ ઈઝરાયેલે પ્રહાર કર્યો
ઈરાન પર હુમલાની તારીખ ઈઝરાયેલે સમજી-વિચારીને અને પૂર્વ નિયોજીત રીતે નકકી કરી હોવાની છાપ ઉપસી હતી. વાસ્તવમાં આજે 19 એપ્રિલે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખોમૈનીનો 85 મો જન્મદિવસ છે.તેઓ 1989 થી શાસન સંભાળી રહ્યા છે. મધ્યપૂર્વમાં સૌથી લાંબા સમય સુધી સતા ધરાવનારા નેતા છે.ઈઝરાયેલનાં આક્રમણ દરમ્યાન પ્રચંડ વિસ્ફોટ તેના મિસાઈલ તોડી પાડવાનાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj