(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.1
અમરેલી શહેરનાં જાહેર સ્થળોએ જયશ્રી રામ નામનાં હોર્ડિંગ રાતોરાત લાગી જતાં અને તેમાં હોર્ડિંગ લગાવનારનું નામ જોવા ન મળતાં તંત્ર પણ ચકરાવે ચડયું છે કે આ હોર્ડિંગ કોણે લગાવ્યા હશે?
અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીને ગણતરીની કલાકો બાકી રહી હોય રાજકીય માહોલ ગરમાવો પકડાવી રહૃાો છે. તેવા સમયે રાતોરાત જયશ્રી રામનાં નામ સાથે શહેરમાં ઠેકઠેકાણે હોર્ડિંગ લાગતાં આ હોર્ડિંગ કેમ અત્યારે જ લગાવાય, રામનવમીનો પવિત્ર દિવસ હમણા જ પસાર થયો ત્યારે કેમ હોર્ડિંગ ન લગાવ્યા તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ છે.
શહેરમાં જયશ્રી રામનું નામ જાહેરમાં દર્શાવાય તેનો કોઈને વાંધો ન હોય શકે પરંતુ નાગનાથ ચોકમાં આવેલ જાહેર શૌચાલયની ઉપર ભગવાન શ્રી રામનાં નામનું હોર્ડિંગ લાગવાથી શ્રી રામનાં ભકતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.
શહેરમાં જય શ્રી રામનાં નામનાં હોર્ડિંગ લગાવનારનું નામ કેમ નથી અને સ્થળની પસંદગી કોણે કરી તેની તપાસ કરવી જરૂરી બની છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy