નવી દિલ્હી,તા.24
ભારતમાં પ્રથમ તબકકાના મતદાનમાં થયેલા ઓછા વોટીંગ મુદે પશ્ચિમી દેશોના મીડીયાએ ઉઠાવેલા પ્રશ્નનો જવાબ આપતા વિદેશમંત્રી એસ.જયશંકરે વળતો પ્રહાર કર્યો હતો કે તમારે ત્યાં જે સૌથી વધુ મતદાન થાય છે તેના કરતા પણ ભારતમાં સૌથી ઓછુ મતદાન થાય તે ઉંચુ હોય છે.
ભારતની ચુંટણીમાં બારોબાર પશ્ચિમી મીડીયા દ્વારા થતા ડખલ અંગે જયશંકરે કહ્યું કે, એવું નથી કે તેઓ પાસે માહિતીનો અભાવ છે પણ તેઓ ઈરાદાપૂર્વક ભારતની ચુંટણી વ્યવસ્થા અંગે પ્રશ્ન ઉઠાવીને એવું સાબીત કરવા માંગે છે કે તેઓ ભારતની ચૂટણીમાં એક રાજકીય ખેલાડી છે.
પ્રથમ તબકકામાં 66 ટકા મતદાન થયુ જે 2019ની સરખામણીમાં 3થી4 ટકા ઓછુ હતું તે મુદે વિદેશી મીડીયાઓએ ભારતમાં ભારે ગરમી સમયે શા માટે ચુંટણી યોજાઈ રહી છે તેવો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને અગાઉ મોદી સરકારના અનેક મુદાઓ અંગે પણ પ્રશ્ન પૂછયો હતો. અગાઉ પણ જયશંકરે આ મુદે પશ્ચિમી મીડીયાને ઝાટકયુ હતું અને હવે તેમણે હૈદરાબાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, વિદેશી મીડીયા ઈરાદાપૂર્વક આ પ્રકારના એજન્ડાને ચલાવે છે.
તેઓ ઈવીએમ અને ચુંટણીપંચ સામે પણ પ્રશ્ન ઉઠાવે છે પરંતુ મારે કહેવું છે કે, પશ્ચિમી દેશોમાં જે સમયે સૌથી વધુ મતદાન થયુ હોય છે તેના કરતા ભારતમાં સૌથી ઓછા મતદાનનો આંકડો પણ વધુ છે તેઓ આ પ્રકારના મુદાઓ ઉઠાવીને ભારતની ચુંટણીમાં તેઓ પણ એક રાજકીય ખેલાડી છે તે સાબીત કરવા માંગે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy