ગુરુદાસપુર,તા.2
અત્રે હાઈકોર્ટમાં રામસે બ્રધર્સની કોઈ હોરર- સસ્પેન્સ કથા જેવી ઘટના બની ગઈ હતી! ડિસેમ્બર 2023માં મારી ચૂકેલા એક શખ્સની જાન્યુઆરી 2024માં જામીન અરજી રજુ કરાઈ હતી.
નવાઈની વાત એ હતી કે, એ જામીન અરજીમા મૃતક અરજદારની સહી પણ હતી! આ મામલે આશ્ચર્યચકીત કોર્ટ જામીન અરજી કરનારના શખ્સના વકીલ પ્રત્યે કડક વલણ અપનાવીને આરોપીના વકીલને સુનાવણી દરમિયાન હાજર રહેવા આદેશ આપ્યા છે.
આ ગજબ કેસની વિગત એવી છે કલાનોર પોલીસે ગત વર્ષે માર્ચમાં મંજીતસિંહ સામે એનડીપીએસ એકટ અંતર્ગત કેસ કર્યો હતો. ગુરુદાસપુર અદાલતમાં જામીન અરજી ફગાવાયા બાદ આરોપીએ જાન્યુઆરી 2024માં હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.
સુનાવણી દરમિયાન કોર્ટને જણાવવામાં આવ્યું કે મંજીતસિંહનું મૃત્યુ ગત વર્ષે ડિસેમ્બરમાં જ થઈ ચૂકયું છે. ગત વર્ષે ડિસેમ્બરમાં મરી ચૂકેલ વ્યક્તિ જાન્યુઆરી 2024માં પોતાની જામીન અરજી કેવી રીતે દાખલ કરી શકે? આરોપીની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે આ સવાલ ઉઠાવ્યો હતો.
હાઈકોર્ટે આરોપીના વકીલે કહ્યું હતું કે બતાવો કે કેવી રીતે એક મરી ચૂકેલ વ્યક્તિ એક મહિના બાદ પોતાની જામીન અરજી દાખલ કરી શકે? તેમાં તેની સહી પણ છે અને તેણે વકીલને પાવર ઓફ એટર્ની પણ આપી છે.
બુધવારે જયારે આ કેસની સુનાવણી શરૂ થઈ તો સરકારી વકીલે હાઈકોર્ટને આરોપી મંજીતસિંહનું ડેથ સર્ટીફીકેટ દેખાડીને જણાવ્યું હતું કે જે આરોપીની અરજી પર સુનાવણી થઈ રહી છે તેનું તો ગત વર્ષે 27 ડિસેમ્બર 2023માં મૃત્યુ થઈ ગયું છે.
આ મામલે જસ્ટીસ મંજરી નેહરુ કૌલે આશ્ચર્ય વ્યક્ત કરી કડક વલણ અપનાવી આરોપીના વકીલે કેસની સુનાવણીમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy