નવી દિલ્હી, તા.23
દિલ્હીના શરાબ કાંડ મુદ્દે જેલમાં રહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વધુ એક આંચકો લાગ્યો છે અને તેઓને તા.7 મે સુધી જેલમાં રહેવું પડશે. તેમની સાથે બીઆરએસના નેતા કવિતાની પણ કસ્ટડી લંબાવાઇ છે. દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે ઇડીના કેસમાં કેજરીવાલની ન્યાય કસ્ટડી તા. 7 સુધી લંબાવી છે.
ગત તા. 21 માર્ચના રોજ કેજરીવાલની ધરપકડ થયા બાદ તેઓ પહેલા ઇડીના કસ્ટડીમાં હતા અને હવે ન્યાય કસ્ટડીમાં છે. તેમણે પોતાની ધરપકડ સામે સુપ્રિમ કોર્ટ સુધી લડત આપી છે. પરંતુ સફળતા મળી નથી.
હાઇકોર્ટે પણ કેજરીવાલની શરાબ કાંડમાં ધરપકડને વ્યાજબી ગણાવી હતી અને આ રીતે લોકસભા ચૂંટણીના ત્રણ તબકકા સુધી કેજરીવાલ જેલમાં જ રહેશે. તે ઉપરાંત બીઆરએસ નેતા કે.કવિતા જેની ધરપકડ કેજરીવાલની પહેલા જ થઇ હતી. તેમને પણ હવે 7 મે સુધી જેલમાં રહેવું પડશે.
કેજરીવાલના સ્વાસ્થ્ય અંગે પણ સતત વિવાદ ચાલી રહ્યો છે અને તેમને ડાયાબીટીસની બિમારી હોવાથી ઇન્સ્યુલીનની સુવિધા અપાતી નહીં હોવાનો વિવાદ સર્જાયા બાદ અદાલતે કેજરીવાલને નિયમિત રીતે ઇન્સ્યુલીન મળે તે જોવા આદેશ આપ્યો હતો.
હાલમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહને જામીન મળ્યા બાદ હવે પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાને પણ જામીન મળશે તેવી આશા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy