નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હવે જેલમુક્ત માટે તા.29 એપ્રિલ સુધી રાહ જોવી પડશે. દિલ્હીના શરાબકાંડમાં 31 માર્ચના રોજ ધરપકડ બાદ કેજરીવાલને ઈડીના રીમાન્ડ અને બાદમાં ન્યાયીક કસ્ટડીમાં મોકલી અપાયા હતા અને કેજરીવાલે તેમની ધરપકડને પહેલા હાઈકોર્ટમાં પડકારી જયાં આ ધરપકડને યોગ્ય ગણાવતો ચૂકાદો આવતા કેજરીવાલ સુપ્રીમમાં ગયા આ આજે આ અંગે આજે સુનાવણી થઈ હતી.
કેજરીવાલના ધારાશાસ્ત્રી અભિષેક મનુ સિંધવીએ તાત્કાલીક સુનાવણીની માંગ કરી હતી તેને સુપ્રીમે ફગાવતા ઈડીને આ અંગે તા.24 એપ્રિલ સુધીમાં જવાબ આપવા માટે નોટીસ આપી છે અને તા.29ના રોજ સુનાવણી થશે. આમ હવે તેઓને પુરા માસ જેલમાં રહેવું પડશે. જેના કારણે તેમને જેલમાંથી સરકાર ચલાવવા માટે છૂટ અપાય કે કેમ તેના પર સૌની નજર છે. કેજરીવાલના ધારાશાસ્ત્રીએ તા.19 એપ્રિલે સુનાવણીની માંગ કરી હતી પણ તે ફગાવાઈ હતી અને સર્વોચ્ચ અદાલત પાસે ‘તારીખ’ નહી હોવા અંગે જણાવ્યું હતું.
કેજરીવાલનો જેલવાસ લંબાતા હવે દિલ્હીમાં શાસન ચલાવવા અંગે કેન્દ્ર સરકાર ‘હરકત’માં આવી શકે છે. જેલમાં રહીને કોઈ મુખ્યમંત્રી ‘શાસન’ ચલાવી શકે કે કેમ તે અંગે જબરા મતભેદો છે પણ મુખ્યમંત્રી વગર સરકાર કેમ ચાલે તે પણ પ્રશ્ર્ન એલ.જી. ઉઠાવી દિલ્હી સરકાર સામે કોઈ એકશન લઈ શકે તેમ છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ શું સરકારને બચાવવા નવા ચહેરાને મુખ્યમંત્રી બનાવશે કે કેમ તેના પર સૌની નજર છે. અગાઉ જ આમ આદમી પાર્ટીએ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે તેવો દાવો કર્યો હતો પણ તે શકય બન્યુ નથી. કેજરીવાલ ઉપરાંત પક્ષના નંબર ટુ ગણાતા પુર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા પણ જેલમાં છે અને હાલ આતિષી સહીત બે-ત્રણ સીનીયર મંત્રીઓ સરકાર ચલાવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy