પટણા (બિહાર), તા.15
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદી અને ભાજપ પર તીખા પ્રહારો કરતાં કહ્યું હતું કે ભાજપમાં ઘણો ગભરાટ છે. આ પાર્ટીના નેતાઓ સરાજાહેર બોલી રહ્યા છે કે અમે બંધારણને બદલી નાખશું. આ બંધારણ ડો. બી.આર. આંબેડકરે બનાવ્યું છે, જે પણ તેને બદલવાની કોશિષ કરશે. તો આ દેશના ગરીબ, દલિત અને પછાતો તેમની આંખ કાઢી નાખશે.લાલુએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે ખબરદાર, જો આવું દુ:સાહસ કર્યું છે તો દેશની જનતા માફ નહીં કરે, તેઓ દેશમાં પોતાનું શાસન લાવવા માગે છે, તાનાશાહી લાવવા માગે છે, સંવિધાન બદલવાનો મતલબ લોકશાહી ખતમ કરવાનો છે.લાલુએ કહ્યું હતું કે ભાજપમાં ગભરાટ છે. આ લોકો માની રહ્યા છે કે તે હારવાના છે એટલે જનતાનું મનોબળ તોડવા માટે 400 પારનો નારો આપે છે. આ લોકો બહુમતિ માંગી કહી રહ્યા છે કે બંધારણ બદલી નાખશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy