વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા 6682 લોકોના લાયસન્સ રદ્દ

Gujarat | Surat | 15 June, 2024 | 04:57 PM
1751 વાહનચાલકોએ 101 વાર તથા 4931એ 50થી વધુ વખત ટ્રાફિક નિયમો તોડયા બાદ કાર્યવાહી
સાંજ સમાચાર

સુરત, તા. 25
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેરમાં કંટ્રોલરૂમમાંથી થતી ટ્રાફિકની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જ્યાં અધિકારીઓ સાથે બેઠક કરી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

આ તકે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સુરત શહેર પોલીસ અને મહાનગર પાલિકા દ્વારા ટ્રાફિકનું વધુ વ્યવસ્થિત પાલન થાય તે માટે જે નવા ટ્રાફિક સિગ્નલ લગાડવામાં આવ્યા, તેનું નાગરિકો ખુબ સારી રીતે પાલન કરતા નજરે પડી રહ્યા છે. સુરત શહેરમાં અકસ્માતમાં ઘટાડો લાવવા માટે રોંગ સાઈડની ડ્રાઇવ પણ શરૂ કરવામાં આવશે છે.

11 ટકા જેટલા ફેટલ અકસ્માત ઓછા થયા છે. 20 જેટલા બીજા ગંભીર અકસ્માત ઓછા થયા છે. દર વર્ષે આ મહિનાની અંદર એવરેજ અને ગયા મહિના અને આ મહિનાની એવરેજ મેળવી ત્યારે 11 લોકોના જીવ બચાવવામાં આ સિગ્નલોના કારણે સફળતા મળી છે. વધુમાં ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, શહેરમાં 1,45,327 લોકો એવા છે કે જેમણે 5 થી 10 વાર ટ્રાફિક સિગ્નલ, રોંગ વે, અને ટ્રાફિકના નિયમો તોડ્યા છે.

11 થી 20 વાર નિયમો તોડનાર 46,189 લોકો છે. 21 થી 50 વાર નિયમો તોડીને જેમ કે આદત જ બનાવી લીધી હોય એવા 18,257 લોકો છે. જ્યારે 51 થી 100 વાર નિયમ તોડનાર 4931 લોકો છે, તેમજ 101 વાર ટ્રાફિક નિયમ તોડનાર 1751 લોકો છે. +

આ 4931 અને 1751 મળીને કુલ 6682 લોકોના લાયસન્સ રદ કરવાની સૂચના આપવામાં આવી છે. એના પછી તબક્કાવાર કે જે લોકોને નિયમ તોડવાની આદત પડી ગઈ છે તે લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj