રાજકોટ,તા.15
શહેરમાં બનેલ દુભાગ્યપૂર્ણ ટીઆરપી ગેમઝોનની દુર્ઘટના દિવંગતોને શ્રધ્ધાંજલી પાઠવવા ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગત તા.14 જુનના રોજ ઉમાભવન ખાતે સાંસદ પરસોતમભાઇ રૂપાલાની ઉપસ્થિતમાં યોજાયેલા મહારકતદાન કેમ્પમાં 132 બોટલ રકત એકત્ર થયું હતું.
આ રકતદાન કેમ્પમાં સાંસદ પરસોતમભાઈ રૂપાલા, ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુદ જેરામભાઈ વાંસજાળીયા, સહિતના ઉદ્યોગપતિઓ, આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓના હોદેદારો અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઈ મણવર, ઉપપ્રમુખ અતુલભાઈ ભુત, મંત્રી ધર્મેન્દ્રભાઈ ઉકાણી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy