રાજકોટ, તા.27
સરદાર પટેલ ગ્રુપ (એસપીજી) અને જય વેલનાથ યુવા મંચ ગુજરાતના સંયુકત ઉપક્રમે આવતીકાલ તા. 28ને રવિવારના બપોરે 3 થી રાત્રે 10 વાગ્યા સુધી બેડીપરા પટેલવાડી રાજકોટ ખાતે મહારકતદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે. આ મહારકતદાન કેમ્પમાં સૌને જોડાવા કહેવામાં આવ્યું છે.
આ રકતદાન કેમ્પમાં કેન્દ્રીયમંત્રી પુરષોતમભાઈ રૂપાલા વિશેષ ઉપસ્થિત રહશે.આ સાથે કેમ્પમાં એકત્ર થયેલ બ્લડ થેલેસીયાના બાળકોને અર્પણ કરવામાં આવશે. ’સાંજ સમાચાર’ની મુલાકાતે દેવભાઇ કોરડીયા, યતિન રાઠોડ, ભરતભાઈ ડાભી, મહેન્દ્રભાઈ વાછાણી, દેવાંગભાઈ કુકાવા, દિપકભાઈ માનસુરીયા, કુલદીપભાઈ પટેલ અને કુંવરજીભાઇ ભાખોડિયા આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy