રાંચી : ઝારખંડના લાતેહારમાં રાંચી-સાસારામ ઇન્ટરસિટી એક્સપ્રેસમાં આગ લાગવાના સમાચાર સાંભળીને ઘણા મુસાફરોએ ટ્રેનમાંથી કૂદી પડયા હતા. જેના કારણે અનેક મુસાફરો માલગાડીની અડફેટે આવી ગયા હતા.
આ ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા. અકસ્માતની માહિતી મળતાં એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. મળતી માહિતી મુજબ, સાસારામ-રાંચી ઈન્ટરસિટી એક્સપ્રેસ જેવી જ કુમંડીહ સ્ટેશન પાસે પહોંચી, ટ્રેનમાં સવાર એક મુસાફરે ટ્રેનમાં આગ લાગવાની અફવા ફેલાવી.
આ પછી મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘણા લોકો ડરના માર્યા ટ્રેનમાંથી ભાગવા લાગ્યા. આ દરમિયાન સામેથી આવતી માલગાડીએ કેટલાક લોકોને ટક્કર મારી હતી. જેના કારણે ચાર લોકોના મોત થયા હતા. અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અકસ્માત બાદ રેલ્વે અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy