નવી દિલ્હી,તા.2
એક તરફ આમ આદમી પાર્ટીના વડા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખુદ તેમની ધરપકડ અને જામીનનો જંગ લડી રહ્યા છે તે સમયે ફેબ્રુઆરી 2023થી જેલમાં રહેલા પુર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાએ પણ ફરી એક વખત ઈડી અને સીબીઆઈ બંનેના કેસમાં વધુ એક વખત જામીન અરજી કરી હતી.
દિલ્હી હાઈકોર્ટે આ અંગે આવતીકાલે સુનાવણી રાખવા તૈયારી બતાવી છે અને કેન્દ્રીય એજન્સીઓને પણ તેમનો જવાબ રજુ કરવા જણાવ્યું છે. સીસોદીયાના ધારાશાસ્ત્રી દ્વારા જણાવાયું કે તેઓ એક ધારાસભ્ય છે અને મતવિસ્તારમાં ચુંટણીઓ યોજાઈ રહી છે તેથી તેને પોતાના મતવિસ્તારમાં પ્રચાર કરવાનો હકક છે અને તેથી જામીન મળવા જોઈએ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy