કોલકતા, તા. 14
દેશમાં ભીષણ આગની ઘટનાઓનો સીલસીલો હોય તેમ આજે કોલકતામાં સૌથી મોટા મોલમાં ભયાનક આગ ફાટી નીકળતા હજારો લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને મોટા પાયે રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
કોલકતાના સૌથી મોટા અને સેંકડો શોરૂમ, ઓફિસો ધરાવતા એક્રોપોલીસ મોલમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી આગને કાબુમાં લેવા માટે ડઝનથી વધુ ફાયર ફાયટરોને દોડાવવામાં આવ્યા હતા. મહાનગરના સૌથી મોટા આ મોલમાં રેસ્કયુ ઓપરેશન પણ શરૂ કરાયું હતું અને મોલની અંદર રહેલા સેંકડો લોકોને બહાર કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
મોલના પાંચમા માળે આવેલા ‘ફુડ કોર્ટ’માંથી આગની શરૂઆત થઇ હતી અને અન્ય સ્થળોએ પ્રસરવા લાગી હતી. પ્રાથમિક રીપોર્ટ પ્રમાણે દુર્ઘટનામાં કોઇ જાનહાની કે કોઇને ઇજા થઇ નથી. રેસ્કયુ ઓપરેશન જારી રાખવામાં આવ્યું હતું.
આગના ધુમાડાના કારણે બચાવ ટીમોને પણ ગુંગળામણ થતા માસ્ક પહેરીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગના ધુમાડા દુર દુર સુધી નજરે ચડતા હતા. મોલ આસપાસનો વિસ્તાર કોર્ડન કરીને ટ્રાફિક સેવા પણ અટકાવી દેવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy