રાજકોટ, તા.15
શહેરનાં રણછોડનગરમાં રહેતાં કારખાનેદારે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. યુવકે ઉછીના આપેલ પૈસા પરત આપતાં ન હોય જેથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. આપઘાતનું ચોકકસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ મૌલિક યોગેશભાઈ બાબિયા (ઉ.વ.33, રહે. રણછોડનગર શેરી નં-16)એ પોતાનાં ઘરે ગઇ કાલ રાત્રીના ગળાફાંસો ખાઈ લીધો હતો. બાદ સવારે તેમની માતા રૂમની સફાઈ કરવા ગયા ત્યારે તેને પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાધેલ હાલાતમાં જોતા સ્તબ્ધ થઈ ગયા હતા. બાદ બી ડિવિઝન પોલીસને જાણ થતાં તુરંત દોડી ગઈ હતી. અને જરૂરી કાગળો કરી યુવકે ક્યાં કારણોસર ગળાફાંસો ખાધો તે દિશામાં તપાસ હાથ ધરી છે. યુવકને રાજકોટમાં અટીકા વિસ્તારમાં લેઝર કટિંગનું કારખાનું છે.
હજુ 6 મહિના પહેલાં જ યુવકના લગ્ન થયાં હતાં. તેઓ એક ભાઈ અને ત્રણ બહેનમાં સૌથી નાનાં હતાં. તેમના પરિવારજનોએ જણાવ્યું કે મૌલિકે અમુક લોકોને ઉછીના પૈસા આપેલ હતાં જે પૈસા પરત આપતાં ન હોય જેથી આપઘાત કરી લીધો હતો. આપઘાતનું ચોકકસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy