વારાણસી,તા.17
લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક લડી રહ્યા છે ત્યારે આ બેઠક પર બહુજન સમાજ પક્ષના નેતા માયાવતીએ અતહર જમાલ લારી ને ટિકીટ આપી છે. આમ મોદી સામે તેઓએ મુસ્લીમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.
લારીએ અગાઉ 1984માં વારાણસી લોકસભા બેઠક લડી હતી અને 50 હજારથી વધુ મતે હાર્યા હતા અને 2004માં પણ ફરી અપનાદલ તરફથી ચુંટણી લડી અને 90 હજારથી વધુ મતે હાર્યા હતા.
પરંતુ મહત્વનું એ છે કે તેઓ હાલમાં જ ઉતરપ્રદેશમાં માર્યા ગયેલા માફીયા મુખ્તાર અંસારીના નજીકના સંબંધી છે અને આ રીતે મુસ્લીમ ઉમેદવારને ઉતારીને માયાવતીએ ભાજપ સામે મુસ્લીમ મતોનું વિભાજન થાય તે નિશ્ચિત કર્યુ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy