લખનઉ તા.18
ઉતરપ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં ભાજપે એક તરફ સાથી પક્ષો અને ખુદ માટે તમામ 80 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે તો બીજી તરફ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ બંને સંયુક્ત રીતે ભાજપને ટકકર આપી રહ્યા છે તે સમયે બહુજન સમાજ પક્ષ અને તેના વડા માયાવતીએ લોકસભા ચૂંટણીમાં એકલા હાથે લડવાનો નિર્ણય કરીને સ્પર્ધા રસપ્રદ બનાવી છે અને તમામ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી છે.
2019ની ચૂંટણીમાં બસપાને 10 બેઠકો મળી હતી પણ તે સમયે સમાજવાદી પક્ષ અને રાષ્ટ્રીય લોકદળ સાથે તેની બેઠક સમજુતી હતી અને ભાજપ બાદ સૌથી વધુ બેઠક મેળવનાર પક્ષ બન્યો હતો પરંતુ 2022ની ધારાસભા ચૂંટણીમાં બસપાને ફકત એક જ બેઠક પર વિજય મળ્યો અને તેનો વોટશેર પણ ઘટીને 13 ટકા થઈ ગયો હતો અને હવે 2024માં માયાવતી સાથે તેના ભત્રીજા 28 વર્ષીય આનંદ પણ ઉતરાધિકારી તરીકે જોડાયો છે.
સામાન્ય રીતે બસપાને ઉતરપ્રદેશમાં ભાજપની બી ટીમ તરીકે ગણાવી હતી અને એક તબકકે બંને પક્ષો જોડાણ કરે તેવી શકયતા પણ દર્શાવાતી હતી પરંતુ ભાજપે માયાવતીનો સાથ ફગાવી દીધો હતો.
બસપાએ તેની યાદીમાં સમાજવાદી પક્ષ અને કોંગ્રેસ પાસેથી મુસ્લીમ મતો છીનવવા 14 મુસ્લીમ ઉમેદવારોને ટિકીટ આપી છે અને તેમાં સાથે બ્રાહ્મણ અને તેના પરંપરાગત વોટબેન્ક એવા દલીતોને પણ સાથે રાખવા આ સમુદાયને પણ પુરતી ટિકીટ આપી છે.
જો કે તેમ છતાં પણ માયાવતી 2019નું પુનરાવર્તન કરી શકશે કે કેમ તે પર સૌની નજર છે પણ પક્ષના સૂત્રોએ જણાવ્યું કે એકલા હાથે ચુંટણી લડીને જ તે બસપાને ફરી બેઠી કરી શકશે અને તેના કારણે ભાજપ અને ઈન્ડીયા બંને ગઠબંધનને માટે તે મુશ્કેલી સર્જી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy