નવી દિલ્હી,તા.14
લોકસભા ચૂંટણીમાં ભાજપના નબળા દેખાવ મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતથી માંડીને ઈંદ્રેશકુમાર જેવા નેતાઓએ નેતાગીરી સામે આડકતરા પ્રહાર કર્યા જ છે ત્યારે હવે આવતીકાલે સંઘવડા તથા ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ વચ્ચે બેઠક થવાના અને ચૂંટણી પરિણામોની સમીક્ષા થવાના નિર્દેશ છે.
સંઘવડા મોહન ભાગવતે તાજેતરમાં એવો કટાક્ષ કર્યો હતો કે, સેવક કયારેય અહંકારી ન હોઈ શકે ત્યારબાદ ઈંદ્રેશકુમારે નેતાઓના અહંકારે જ પાર્ટીને પછડાટ આપ્યાનું વિધાન કર્યુ હતું.
આ ઘટનાક્રમ વચ્ચે આવતીકાલે મોહન ભાગવત તથા યોગી આદીત્યનાથ વચ્ચે બેઠક થશે. સંઘના તાલીમસત્ર દરમ્યાન આ મીટીંગ યોજાશે અને તેમાં લોકસભા ચૂંટણીના પરિણામો વિશે ચર્ચા થઈ શકે છે. ચૂંટણી પરિણામો બાદ બન્ને નેતાઓ વચ્ચે પ્રથમ બેઠક હશે અને તેને અત્યંત મહત્વપૂર્ણ ગણી શકાય તેમ છે.
ચૂંટણી પરિણામોની સમીક્ષા ઉપરાંત ઉતરપ્રદેશમાં સંઘનો વ્યાપ વધારવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચુંટણીમાં 400 પારનો નારો આપનાર ભાજપને માત્ર 230 બેઠકો જ મળી શકી હતી. ઉતરપ્રદેશમાં મોટુ ધોવાણ થયુ હતું. 2019માં 62 સામે આ વખતે 33 બેઠકો જ મળી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy