મુંબઈ,તા.17
સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. મંગેશકર પરિવારે ખુદ આ અંગે મંગળવારે જણાવ્યું હતું.બિગ બીને આ સન્માન 24 એપ્રિલે લતા મંગેશકરના પિતા અને સંગીતના દિગ્ગજ દિનાનાથ મંગેશકરના સ્મૃતિ દિવસે આપવામાં આવશે.પરિવાર અને ટ્રસ્ટે લતા મંગેશકરના નિધન બાદ તેમની યાદમાં આ એવોર્ડની શરૂઆત કરી હતી.
મહત્ત્વનું છે કે, આ એવોર્ડ એવા મહાનુભાવોને આપવામાં આવે છે જેમણે સમાજ માટે અગ્રણી યોગદાન આપ્યું હોય. સૌથી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પછી 2023માં આ એવોર્ડ લતા મંગેશકરની બહેન આશા ભોંસલેને આપવામાં આવ્યો. હવે બિગ બીને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચને તેમની ફિલ્મી કારકિર્દીમાં બોલિવૂડને અઢળક હિટ ફિલ્મો આપી છે. બિગ બીને ઇન્ડસ્ટ્રીમાં લગભગ પાંચ દાયકા પૂરા થયા છે. 1969માં તેમણે ફિલ્મ સાત હિન્દુસ્તાથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે ઝંઝીર, શોલે, અમર અકબર એન્થોની, ડોન જેવી કેટલીક બ્લોકબાસ્ટર મૂવી કરી. બિગ બીએ પોતાની અથાગ મહેનત અને પરિશ્રમના બળે આજે એવી ઊંચાઈએ પહોંચ્યા છે જેના કલ્પના પણ ન કરી શકાય.
કદાચ એટલે જ અમિતાભને સદીના મહાનાયક પણ કહેવામાં આવે છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને પણ તેમના કામ માટે ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં બિગ બીના એવોર્ડની યાદીમાં ટૂંક સમયમાં વધુ એક નામ જોડાવા જઈ રહ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy