નવી દિલ્હી તા.16
હાલ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર છવાયો છે. દરમ્યાન સેન્ટર ફોર ધી સ્ટડી ઓફ ડેવલપીંગ સોસાયટીઝ (સીએસડીએસ)ના સર્વેક્ષણમાં વડાપ્રધાન પદ માટે લોકોની પહેલી પસંદ મોદી છે.જયારે બીજા નંબરે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું નામ આવે છે. જયારે મોદી અને રાહુલની ગેરેંટીને લઈને મતદારોમાં મિશ્ર પ્રત્યાઘાતો છે.
આવો જાણીએ મતદારોનાં મનમાં શું છે.
સૌથી મહત્વની વાત એ છે કે આ સર્વેમાં લોકોને કોઈ નેતાના નામનો વિકલ્પ નથી અપાયો.બધાએ પોતાનાં મનથી સૌથી પહેલા મોદીનું નામ બતાવ્યું છે અને બીજા ક્રમે મોદીનું. અન્ય ત્રણ નેતાઓમાં નામ અપાયા છે.તેમાં દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અખિલેશ યાદવનુ નામ સામેલ છે.
ભાજપ-કોંગ્રેસની ગેરેંટીમાં રૂચી લગભગ બરાબર
સર્વે અનુસાર મોદી ગેરંટી અને રાહુલ ગેરંટીને લઈને મતદારોમાં બહુ ઉત્સાહ નથી. બહુ ઓછા મતદારો છે. જે પક્ષોની ગેરંટીને લઈને ઉત્સાહીત છે. સર્વેમાં સામેલ 23 ટકા લોકોએ મોદી ગેરંટી અને 17 ટકા લોકોએ રાહુલ ગાંધીની ગેરંટીમાં વિશ્ર્વાસ દર્શાવ્યો છે.
આંકડા અનુસાર મોદી અને રાહુલની ગેરંટીમાં લોકોના રસને લઈને ખાસ અંતર નથી કોંગ્રેસની તુલનામાં ભાજપની ગેરંટીને પસંદ કરનારા માત્ર 7 ટકા વધુ છે.
ચૂંટણી વાયદાની જગ્યાએ ગેરંટી: ચૂંટણીમાં વાયદા જુની પરંપરા છે આ વખતની સામાન્ય ચૂંટણીમાં વાયદાની જગ્યા ગેરંટીએ લીધી છે આથી ચૂંટણી જંગ રોચક બન્યો છે.પાર્ટીઓ અલગ અલગ ગેરંટી આપી રહી છે.દરમ્યાન મતદાતાઓ સામે અલગ અલગ પક્ષની ગેરંટી અને વાયદાઓ પર વિશ્ર્વાસનો પડકાર છે.
કોને લોભાવી રહી છે કોની ગેરંટી: યુવા મતદાતાઓની તુલનામાં વરિષ્ઠ મતદારો દ્વારા ગેરંટી પર ભરોસાની સંભાવના ઓછી છે. રાહુલની તુલનામાં તેઓ મોદીની ગેરંટી પર વિશ્વાસ રાખે છે. મોદી અને રાહુલની ગેરંટી પર વરિષ્ઠ મતદારોનાં મત વચ્ચે 11 ટકાનું અંતર છે. જયારે યુવા મતદારો મોદી ગેરંટી પર વધુ વિશ્વાસ રાખે છે.
દરેક વર્ગનાં દિલમાં પીએમ મોદી માટે જગ્યા:
ચૂંટણી બાદ મોદીને વડાપ્રધાન તરીકે જોવા માટે ક્ષેત્રવાર અલગ અલગ મંતવ્ય છે. ગ્રામીણ વિસ્તારનાં ગરીબોની તુલનામાં આર્થિક રીતે સંપન્ન લોકો મોદીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે.
દલિત અને આદિવાસીની તુલનામાં ઉચ્ચ જાતિ અને અન્ય પછાત વર્ગ મોદીને પીએમ તરીકે ત્રીજાવાર જોવા માંગે છે.જયારે મુસ્લીમ વર્ગનાં 14 ટકા લોકો પદ પર મોદીને બહેતર માને છે. જયારે લઘુમતી જાતિઓમાં આવા વિચાર રાખનારાઓની સંખ્યા લગભગ 28 ટકા છે. ટુંકમાં મોદીને જનતાનો સાથ મળવાની આશા છે.
જયારે એક ચર્તુમાંશ લોકોએ બેરોજગારી મોંઘવારી, ગરીબીની વાત કરી છે.
મોદી ગેરેંટી માટે મતદાન:
એ સ્પષ્ટ થઈ ગયુ છે કે પી.એમ મોદી ભાજપનુ કેન્દ્ર છે. ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમણે મતદાતાઓ સાથે વાતચીતમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ભાજપને વોટ કરનાર મતદાર આ વખતે ‘મોદી ગેરેંટી’ માટે મતદાન કરશે.
મોદીનું નેતૃત્વ પાર્ટી માટે ટ્રમ્પ કાર્ડ:
આ વખતે પણ સામાન્ય ચૂંટણીમાં લીડરશીપ ફેકટર ટ્રમ્પ કાર્ડ જેવુ છે. મોદીની લોકપ્રિયતાનાં સહારે પાર્ટીનાં લોકોના મનમાં અર્થ વ્યવસ્થાને લઈને જે નકારાત્મક ભાવ છે તેને દુર કરી લેશે.ચૂંટણી પ્રચારમાં મોદીની લોકપ્રિયતા અને તેની એક ઝલક મેળવવા ઉમટતી ભીડ આનો સંકેત છે.
આ સરકારે કામ કર્યું: 23 ટકા લોકોએ રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું નામ લઈને કહ્યુ કે મોદી સરકારે કામ કર્યું છે. જયારે 10 માંથી માત્ર 1 સિવાય 9 ટકાએ માન્યુ કે એ પણ માન્યુ કે સરકારે રોજગાર વધારવાનું કામ કર્યુ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy