નવી દિલ્હી તા.4
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેઠીના બદલે રાયબરેલીથી ચુંટણી લડવાનો નિર્ણય કરતા વડાપ્રધાન મોદીએ પશ્ર્ચિમ બંગાળમાં રાહુલ પર પ્રહાર કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધી અમેઠીમાં ચુંટણી લડવાથી ડરી ગયા છે, મોદીએ રાહુલને લઈને ‘ડરો મત, ભાગો મત’ બયાન કરતા ભડકેલી કોંગ્રેસે પલટવાર કર્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી પર નિશાન સાધીને જણાવ્યું હતું કે વડાપ્રધાન પોતાની ગરિમા ભુલીને આવી તુચ્છ વાતો કરે છે. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે ભાજપના આઈકન બાલકૃષ્ણ અડવાણી, અટલબિહારી વાજપાઈ અને ખુદ મોદી બે જગ્યાએથી અગાઉ ચુંટણી લડયા છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ 2014માં વારાણસી અને વડોદરા સીટ પર ચુંટણી લડી હતી અને જીત મેળવી હતી બાદમાં વડોદરા ચુંટણી ક્ષેત્ર છોડી દીધું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy