રાહુલે અમેઠીના બદલે રાયબરેલી નામાંકન ભરતા પીએમે પ્રહારો કરેલા

રાહુલને લઈને મોદીની કોમેન્ટથી કોંગ્રેસ ભડકી: પીએમ ગરિમા ભૂલ્યા

India, Politics, Lok Sabha Election 2024 | 04 May, 2024 | 05:28 PM
અડવાણી, વાજપેયી અને ખુદ મોદી બે સીટ પરથી ચુંટણી લડયા છે: ખડગે
સાંજ સમાચાર

નવી દિલ્હી તા.4
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેઠીના બદલે રાયબરેલીથી ચુંટણી લડવાનો નિર્ણય કરતા વડાપ્રધાન મોદીએ પશ્ર્ચિમ બંગાળમાં રાહુલ પર પ્રહાર કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધી અમેઠીમાં ચુંટણી લડવાથી ડરી ગયા છે, મોદીએ રાહુલને લઈને ‘ડરો મત, ભાગો મત’ બયાન કરતા ભડકેલી કોંગ્રેસે પલટવાર કર્યો છે.

 કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી પર નિશાન સાધીને જણાવ્યું હતું કે વડાપ્રધાન પોતાની ગરિમા ભુલીને આવી તુચ્છ વાતો કરે છે. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે ભાજપના આઈકન બાલકૃષ્ણ અડવાણી, અટલબિહારી વાજપાઈ અને ખુદ મોદી બે જગ્યાએથી અગાઉ ચુંટણી લડયા છે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ 2014માં વારાણસી અને વડોદરા સીટ પર ચુંટણી લડી હતી અને જીત મેળવી હતી બાદમાં વડોદરા ચુંટણી ક્ષેત્ર છોડી દીધું હતું.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj