ટોપ-સવાઈ માધોપર (રાજસ્થાન),તા.23
અત્રે લોકસભા સીટ પર ચુંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદી કોંગ્રેસ પર બજરંગબલી, મંગલસૂત્ર, હનુમાનચાલીસા મુદે વરસી પડયા હતા. હનુમાન જયંતી પર તેમણે ભાષણની શરૂઆત બજરંગબલી કી જયની સાથે કરી હતી.
પછી તેમણે કર્ણાટકનો એક કિસ્સો પણ સંભળાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસની સરકારમાં હનુમાન ચાલીસા સાંભળી રહેલ વેપારીની મારપીટ કરી લોહીલુહાણ કરી દેવાયો હતો. તેમના રાજમાં તો હનુમાન ચાલીસા સાંભળવા પણ ગુનો થઈ ગયો છે.
વડાપ્રધાને કોંગ્રેસ પર સનસનીખેજ આરોપ લગાવી કહ્યું હતું કે 2011માં કોંગ્રેસે એસસી, એસટીને મળેલો અધિકાર છીનવી મુસ્લીમોને આપવાનો પ્રયાસ કર્યો હતો, જયારે કર્ણાટકમાં ભાજપની સરકાર બની તો પહેલું કામ ધાર્મિક આધાર પર અનામતને ખતમ કરવાનું કર્યું. વડાપ્રધાને કહ્યું હતું- કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું હતું કે દેશના સંસાધનો પર પહેલો હક મુસલમાનોનો છે.
આંધ્રપ્રદેશમાં સુપ્રીમકોર્ટની સક્રિયતાથી મુસ્લીમ અનામત લાગુ થઈ શકી નહોતી. વડાપ્રધાને રાજસ્થાનના પુર્વ સીએમ ગેહલોત પર નિશાન સાધતા જણાવ્યું હતું કે રાજસ્થાનમાં કોંગ્રેસના ગયા બાદ પહેલીવાર રામનવમીની શોભાયાત્રા શાંતિથી નીકળી છે. રાજસ્થાનની કોંગ્રેસની પુર્વ સરકારે રાજસ્થાનમાં સૌથી જરૂરી ઈઆરસીપી પ્રોજેકટ પણ પાસ નહોતા થવા દીધા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy