ન્યુ દિલ્હી : લોકસભા ચૂંટણી 2024માં સૂરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થયા છે. તેઓ બિનહરીફ જીત મેળવનાર ભાજપના પ્રથમ સાંસદ છે. સૂરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રિજેક્ટ થયું હતું, જ્યારે અન્ય પાર્ટીના તેમજ અપક્ષોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપ ઉમેદવાર મુકેશ દલાલે બિનહરીફ જીત મેળવી છે.
1951માં યોજાયેલ પ્રથમ લોકસભા ચૂંટણીથી લઈને અત્યાર સુધી મુકેશ દલાલ સહિત 35 ઉમેદવાર ચૂંટણી વગર બિનહરીફ જીત મેળવી ચૂક્યા છે. સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવે વર્ષ 2012માં કન્નૌજ લોકસભા પેટાચૂંટણીમાં બિનહરીફ જીત મેળવી હતી. આ સીટ તેમના પતિ અખિલેશ યાદવના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા પછી ખાલી થઈ હતી.
સંસદીય ચૂંટણીમાં બિનહરીફ જીત મેળવનાર અન્ય પ્રમુખ નેતાઓમાં ટી.ટી કૃષ્ણાચારી, વાય.બી ચવ્હાણ, ફારૂક અબ્દુલ્લા, એસ.સી જમીર, હરે કૃષ્ણા મહતાબ અને પી.એમ સઈદના નામ સામેલ છે. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો સૌથી વધુ બિનહરીફ વિજેતા બન્યા છે
જે ઉમેદવારો ચૂંટણી લડ્યા વિના લોકસભામાં પ્રવેશ્યા છે તેમાંથી સૌથી વધુ કોંગ્રેસના છે. સિક્કિમ અને શ્રીનગર મતવિસ્તારમાં આવી બિનહરીફ ચૂંટણી બે વખત જોવા મળી છે.
જ્યારે મોટાભાગના ઉમેદવારોએ સામાન્ય અથવા નિયમિત ચૂંટણીઓમાં બિનહરીફ ચૂંટણી જીતી છે, ત્યારે ડિમ્પલ યાદવ સહિત ઓછામાં ઓછા નવ એવા છે, જેમણે પેટાચૂંટણી બિનહરીફ જીતી છે.
1957ની સામાન્ય ચૂંટણીઓમાં મહત્તમ સાત ઉમેદવારોએ બિનહરીફ જીત મેળવી હતી, 1951 અને 1967ની ચૂંટણીમાં પાંચ-પાંચ ઉમેદવારો હતા. જ્યારે 1962માં ત્રણ ઉમેદવારો અને 1977માં બે ઉમેદવારો બિનહરીફ જીત્યા હતા, એક - એક ઉમેદવાર 1971, 1980 અને 1989માં સમાન રીતે ચૂંટણી જીત્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy