(હિતેશ ગોસાઈ) જસદણ, તા.30
જસદણ તાલુકાના કાનપર ગામે આગામી તા.5 મે ને રવિવારના રોજ શ્રી ઝુંડવાળી ખોડીયાર માતાજીનો 24 કલાકનો માતાજીનો માંડવો યોજાશે આ અંગે પુજારી પરિવાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે કાનપરના શ્રી ખોડીયાર માતાજીના મહંત દલસુખપરી બાપુ અને કાનપર શ્રી ઝુંડવાળી ખોડીયાર માતાજીના પુજારી પરિવાર દ્વારા જે માંડવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
એમાં કાનપર, પ્રતાપપુર, સાણથલી, જસાપર મોટાદડવા ઇશ્ર્વરિયા દેતડીયા કરમાળ કોટડા પાંચવડા જુના પીપળીયા સાંઢવાયા આટકોટ જસદણ કલોરાણા ગામ સહિતનાં હજજારો ભાવિકો ઉમટી પડી આસ્થાના ફૂલો ન્યોછાવર કરશે રવિવારે સવારથી નવરંગા માંડવાનું મુર્હૂત થશે અને સોમવાર સવાર સુધી ચાલનારા આ માંડવામાં ભકતોને કોઈ હાલાકી વેઠવી ન પડે તે માટે આયોજકોએ પાણી થી લઈ પ્રસાદ સુધીનું આયોજન કર્યુ છે આ પ્રસંગને લઈ દલસુખપુરી, અશોકપુરી, મનુપુરી ભરતપુરી સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy