વેલિંગટન :
હરિધામ સોખડાને ગુજરાતના ટોચના તીર્થક્ષેત્ર બનાવનાર હરિપ્રસાદ સ્વામીના બ્રહ્મલીન થયા બાદ છેલ્લા ઘણા સમયથી સંતોના બે જૂથ વચ્ચે ગાદી અને 7 મંદિરના વહીવટને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં એક તરફ બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીના ગુરૂભાઈ પ્રેમસ્વરૂપ સ્વામી છે તો બીજી તરફ હરિપ્રસાદ સ્વામીના શિષ્ય પ્રબોધ સ્વામી છે.
સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપદાસ સ્વામીની નિમણુંક કરવામાં આવી હતી. ત્યારે બે સ્વામિનારાયણ સંતોની આધ્યાત્મિક વારસાની લડાઈ વિદેશની કોર્ટમાં પણ ચાલી રહી હતી. ન્યુઝીલેન્ડ કોર્ટમાં ચાલી રહેલા લડાઈના અંતે આખરે ચુકાદો હરિપ્રબોધમ પરિવારનાં તરફે આવ્યો છે.
સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હરિપ્રસાદ સ્વામી પહેલા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હતાં. તેમણે વર્ષ 1971માં સોખડા ખાતે પ્રથમ 5 સંતોને દીક્ષા આપીને સંપ્રદાયની શરૂઆત કરી હતી. જુલાઈ 2021માં હરિપ્રસાદસ્વામીના નિધન બાદ તેમના વારસદારની નિમણૂક માટે 2 સંતો (પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વામી) ના સમર્થકોએ પોતપોતાના ગુરૂને દાવેદાર તરીકે રજૂ કરતાં વિવાદ થયો હતો.
આ વિવાદ એટલી હદે વકર્યો છે કે હવે 150 મોટા સંતોમાં પણ ભાગલા પડી ગયા છે અને મુખ્ય ગુરૂની ગાદી માટે પ્રબોધસ્વામી અને પ્રેમસ્વરૂપ સ્વામીના ભક્તો બે જૂથમાં વહેંચાઈ ગયા છે.
વડોદરાના હરિધામ સોખડા મંદિરના બે સંતોનો વિવાદ વિદેશમાં પહોંચ્યો હતો. હરિપ્રસાદ સ્વામીના અવસાન બાદ બે સંતો વચ્ચે આધ્યામિક વારસાઈ માટે લડાઈ ચાલતી હતી. બે સંતો વચ્ચેની લડાઈ અંગે વડોદરા કોર્ટમાં પણ પિટિશન દાખલ થઈ હતી.
બે સંતોની કાયદાકીય લડાઈ ભારત સુધી સીમિત ન રહી, વિદેશ સુધી પહોંચી હતી. ન્યુઝીલેન્ડની હાઈકોર્ટમાં સોખડાના પ્રેમ સ્વરૂપસ્વામી જૂથ દ્વારા પિટીશન દાખલ કરાઈ હતી. યોગી ડિવાઈન સોસાયટી ન્યુઝીલેન્ડના સંચાલન, વહીવટ તેમજ સત્સર્ગે કેન્દ્ર માટે પિટીશન દાખલ કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy