લંડન : PNB કૌભાંડ કેસના મુખ્ય આરોપી ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. તેણે 16 એપ્રિલ 2024ના રોજ લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં 5 વખત અરજી કરી હતી.
નીરવ છેલ્લા પાંચ વર્ષથી જેલમાં છે. લાંબી જેલની સજાને ટાંકીને તેણે પાંચમી વખત અરજી કરી હતી. તેમની અગાઉની અરજી સાડા ત્રણ વર્ષ પહેલા ફગાવી દેવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન ડિસ્ટ્રિક્ટ જજ જોન જાનીએ કહ્યું કે જામીન સામે પૂરતા આધાર છે. જો તેને જામીન મળે તો તે તપાસ અને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.
જજે કહ્યું કે નીરવ સામે છેતરપિંડીનો મોટો આરોપ છે. આ મામૂલી કેસ નથી જેમાં જામીન આપી શકાય. કોર્ટમાં સુનાવણી દરમિયાન નીરવ પોતે હાજર થયો ન હતો. જોકે, તેમનો પુત્ર અને બે પુત્રીઓ ગેલેરીમાં હાજર હતા.
નીરવ મોદી પર PNB પાસેથી લોન લઈને લગભગ 14 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ તે જાન્યુઆરી 2018માં દેશ છોડીને ભાગી ગયો હતો. નીરવની 19 માર્ચ 2019ના રોજ દક્ષિણ-પશ્ચિમ લંડનમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
ED-CBIની સંયુક્ત ટીમ સુનાવણી માટે લંડન પહોંચી હતી :
ભારતમાં નીરવ વિરુદ્ધ છેતરપિંડીના ત્રણ કેસ છે. પંજાબ નેશનલ બેંક (PNB) સાથે છેતરપિંડીનો CBI કેસ છે તો બીજું, પીએનબી કેસ મની લોન્ડરિંગનો કેસ છે અને ત્રીજું, સીબીઆઈની કાર્યવાહીમાં પુરાવા અને સાક્ષીઓ સાથે છેડછાડનો કેસ છે.
ED-CBIએ પણ નીરવના જામીન પર પોતાનું વલણ રજૂ કર્યું હતું. બંને એજન્સીઓની સંયુક્ત ટીમ લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટ પહોંચી હતી. સત્તાધીશોએ જામીનનો વિરોધ કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy