નવી દિલ્હી, તા.25
દિલ્હીના શરાબ કાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને યોગ્ય ગણાવતા એન્ફોર્સમેન્ટ વિભાગે સર્વોચ્ચ અદાલતમાં દલીલ કરી હતી કે મુખ્યમંત્રીની ધરપકડ માટે કોઇ અલગ નિયમો કે પ્રક્રિયા નથી. કેજરીવાલને દિલ્હીના શરાબ કાંડમાં મુખ્ય સુત્રધાર ગણાવતા ઇડીએ જણાવ્યું હતું કે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ 2002માં ધરપકડ મુદ્દે વિસ્તૃત માર્ગરેખા આપવામાં આવી છે.
પરંતુ તેમાં મુખ્યમંત્રી કે સત્તા પર બેઠેલા વ્યકિત માટે અલગ માપદંડ હોય તેવું જણાવાયું નથી અને તેની સામાન્ય નાગરિકની જેમ ધરપકડ કરી શકાય છે. દિલ્હી હાઇકોર્ટે કેજરીવાલની ધરપકડને યોગ્ય ગણાવીને તેને પડકારતી રીટ અરજી ફગાવી દીધા બાદ કેજરીવાલે તેને સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી છે અને તેમાં સમગ્ર શરાબ કાંડમાં કોઇપણ પ્રકારની નાણાંકીય કે અન્ય રીકવરી થઇ ન હોવાનું કે કોઇ મિલ્કતો મળી ન હોવાનું જણાવીને સમગ્ર કેસ કાગળ પર જ ઉભો કરાયો છે.
ખાસ કરીને જેઓ પહેલા આ કેસમાં આરોપી હતા તેઓ હવે સાક્ષી બની ગયા છે. આમ ફકત કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતાઓને રાજકીય રીતે ખત્મ કરવા જ આ સમગ્ર કેસ ઉભો કરાયો છે.
ઇડીએ જો કે કેજરીવાલ સામે પુરતા પુરાવા હોવાનો દાવો કર્યો હતો. એટલું જ નહીં જણાવ્યું કે, કોઇપણ વ્યકિતની ધરપકડ પુરાવા આધારિત હોય છે અને તેની પૂછપરછ કે વધુ મજબૂત બનાવવાની એજન્સીની કામગીરી છે તેથી આ ધરપકડને મનઘડત કે ગેરકાનૂની ગણાવી તે યોગ્ય નથી. હવે સર્વોચ્ચ અદાલત તેના પર 29 એપ્રિલે વધુ સુનાવણી કરશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy