લખનૌ, તા.18
ચૂંટણી સમયે નેતાઓની જુબાન ઓચિંતી જ લપસવા લાગે છે અને ગમે તે શબ્દ કે વાક્ય ઉચ્ચારીને પોતાના માટે મુસીબત વોહરી લે છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે જે વિધાનો કર્યા તે વિવાદ ચાલુ જ છે તે સમયે જ ઉત્તર પ્રદેશમાં ગૌત્તમ બુધ્ધનગરના ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ એવું વિધાન કર્યું કે હવે તેમાં ચૂંટણીપંચ સુધી ફરિયાદ થઇ છે. તેઓએ એક જાહેર સભામાં કહ્યું કે મોદી-યોગીને પોતાના માનતા નથી તે ગદ્દાર છે.
બુલંદ શહેરમાં ચૂંટણીસભા સંબોધતા સમયે કહ્યું કે જે મોદી-યોગીને પોતાના માનતા નથી તેઓએ બાપને પણ પોતાનો સમજવો જોઇએ નહીં. જો કોઇ કહે છે કે મોદી-યોગીથી પણ આગળ વધીને કોઇ બીજુ તેનું પોતાનું છે. તો તે દેશનો ગદ્દાર છે અને આ વ્યકિત રાજ્યનું કે દેશનું કલ્યાણ કરી શકશે નહીં. હવે તેના વિધાન પર ચૂંટણી પંચને ફરિયાદ થઇ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy