નવી દિલ્હી, તા.25
લોકસભા ચૂંટણીમાં જે રીતે આક્ષેપબાજીઓ અને વ્યકિતગત હુમલા વધી રહ્યા છે તે વચ્ચે ચૂંટણી પંચે તમામ નેતાઓને સાવધ કરતા રાજકીય પક્ષોને લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 77 હેઠળ પક્ષના અધ્યક્ષને જવાબદાર ગણાવાશે તેવી સ્પષ્ટ ચેતવણી આપી છે.
હાલમાં જ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આક્ષેપબાજી કરી તેમાં પણ આચારસંહિતાનો ભંગ થાય તે પ્રકારના વિધાનો કર્યા તે માટે ભાજપ-કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખોને ચૂંટણી પંચે નોટીસ આપી છે તો બીજી તરફ મોદી બાદ રાહુલ ગાંધીના વિધાનો મુદે પણ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને નોટીસ આપી છે.
ભાજપે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે રાહુલ ગાંધી દેશમાં ગરીબીની સ્થિતિ અંગે ખોટા આક્ષેપો અને દાવા કરી રહ્યા છે અને એટલું જ નહીં ઉતર અને દક્ષિણના ભાગલા પડે તેવા વિધાનો કરી રહ્યા છે જે બદલ કોંગ્રેસે જવાબ આપવાનો રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy