નવી દિલ્હી,તા.23
સિંગાપોર અને હોંગકોંગમાં ભારતીય બ્રાન્ડના એમડીએચ અને એવરેસ્ટના ચાર મસાલાઓના વેચાણ પર પ્રતિબંધ બાદ હવે ભારતમાં પણ ફુડ સેફટી ઓથોરીટી એકશનમાં આવી છે અને આ બંને સહિતની અનેક બ્રાન્ડના બજારમાં વેચાતા મસાલાઓના સેમ્પલીંગ શરુ કર્યા છે.
હોંગકોંગ અને સિંગાપોરના ફુડ સેફટી ઓથોરીટી દ્વારા આ મસાલામાં જંતુનાશક, એથીલીન ઓકસાઈડનું પ્રમાણ હોવાનું જાહેર કર્યુ હતું અને તેનાથી કેન્સરની બિમારી થવાની પણ શકયતા દર્શાવાઈ હતી જે બાદ આ બંને દેશોએ એવરેસ્ટ અને એમડીએચના મસાલાઓ પર પ્રતિબંધ મુકી દીધો છે તો ભારતમાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ દિલ્હી સહિતના વિસ્તારોમાંથી હળવા બ્રાન્ડેડ મસાલાના સેમ્પલીંગ શરુ કર્યા છે.
ટુંક સમયમાં તેનો લેબોરેટરી રિપોર્ટ આવી જશે. મસાલા બોર્ડના જણાવ્યા મુજબ એથીલીન ઓકસાઈડ એ 10.7 સેલ્સીયસની ઉપરના તાપમાનમાં જવલનશીલ રંગહીન ગેસ બને છે અને તેનો ઉપયોગ જંતુનાશક દવાઓમાં થાય છે. ઉપરાંત મેડીકલ સાધનોને સ્ટરીલાઈઝ કરવામાં પણ તેનો ઉપયોગ થાય છે અને તે ખાતર અને માટી ઉપરાંત કીચડના મીકસમાંથી આ ગેસ તૈયાર થાય છે. જે કેન્સર માટે કારણ બને છે.
સિંગાપોરમાં અમારા ફકત એક મસાલા સામે કાર્યવાહી થઈ છે: એવરેસ્ટ
નવી દિલ્હી,તા.23
બે વિદેશી સરકારો દ્વારા ભારતના બ્રાન્ડેડ મસાલાઓ પર પ્રતિબંધ મુકયાના અહેવાલમાં એવરેસ્ટ મસાલા ઉત્પાદકોએ સિંગાપોર કે હોંગકોંગમાં તેના મસાલા પર પ્રતિબંધ મુકાયો હોવાનું નકારી કાઢયું છે.
દાવો કર્યો છે કે, સિંગાપોર ઓથોરીટીએ તેના દેશમાં આ મસાલાના આયાતકારને હાલ તમામ ઉત્પાદન પાછા ખેંચી લેવા અને તેની વધુ તપાસ બાદ વધુ નિર્ણય લેવાય તેવું જણાવ્યું છે અને એવરેસ્ટના 60 મસાલામાંથી ફકત એક મસાલા માટે જ આ કાર્યવાહી થઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy